ઓડિશા ટ્રેન અકસ્માતમાં અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાઈ, રેલ્વે એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો

ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયંકર ટ્રેન અકસ્માતમાં રેલ્વે એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટના સ્થળ પર સ્થિતી સામાન્ય થઈ રહી છે અને હવે અજ્ઞાત લોકો સામે ગુનો દાખલ કરાયો છે.

આ મુદ્દે માહિતી આપતા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ કે, રેલ્વે બોર્ડે અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. સોમવારે કટકમાં સરકારી રેલવે પોલીસ (જીઆરપી) દ્વારા રેલવે એક્ટની કલમ 153, 154 અને 175 હેઠળ બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR દાખલ કરાઈ છે.

Odisha train accident

બાલાસોર GRPSના SI પપુ કુમાર નાઈકની ફરિયાદના આધારે પોલીસે FIR દાખલ કરી છે. આ પહેલા રેલ દુર્ઘટના સંદર્ભે પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં આક્ષેપ કરાયો હતો કે દુર્ઘટનામાં બેદરકારીથી મૃત્યુ થયા અને લોકોના જીવ જોખમમાં મૂક્યા.

બીજી તરફ બાલાસોર અકસ્માતની તપાસ શરૂ કરાઈ છે. અત્યાર સુધી આ ભયાનક અકસ્માતનું કારણ સિગ્નલની ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં ખામી હોવાનું મનાઈ રહ્યુ છે. જો કે પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદીએ આ ઘટનાને અકસ્માત નહીં કાવતરું ગણાવ્યું છે.

તેમણે દાવો કર્યો કે, મને 100 ટકાથી વધુ ખાતરી છે કે આ દુર્ઘટના કાવતરાથી થઈ છે. એક સેકન્ડમાં એક પછી એક અકસ્માત થાય તે એક યોજના જેવું લાગે છે. રેલવે સિસ્ટમમાં એક સાથે આટલા અકસ્માતના સંજોગ નથી હોતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X