ઓડિશા ટ્રેન અકસ્માતમાં અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાઈ, રેલ્વે એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો
ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયંકર ટ્રેન અકસ્માતમાં રેલ્વે એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટના સ્થળ પર સ્થિતી સામાન્ય થઈ રહી છે અને હવે અજ્ઞાત લોકો સામે ગુનો દાખલ કરાયો છે.
આ મુદ્દે માહિતી આપતા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ કે, રેલ્વે બોર્ડે અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. સોમવારે કટકમાં સરકારી રેલવે પોલીસ (જીઆરપી) દ્વારા રેલવે એક્ટની કલમ 153, 154 અને 175 હેઠળ બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR દાખલ કરાઈ છે.

બાલાસોર GRPSના SI પપુ કુમાર નાઈકની ફરિયાદના આધારે પોલીસે FIR દાખલ કરી છે. આ પહેલા રેલ દુર્ઘટના સંદર્ભે પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં આક્ષેપ કરાયો હતો કે દુર્ઘટનામાં બેદરકારીથી મૃત્યુ થયા અને લોકોના જીવ જોખમમાં મૂક્યા.
બીજી તરફ બાલાસોર અકસ્માતની તપાસ શરૂ કરાઈ છે. અત્યાર સુધી આ ભયાનક અકસ્માતનું કારણ સિગ્નલની ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં ખામી હોવાનું મનાઈ રહ્યુ છે. જો કે પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદીએ આ ઘટનાને અકસ્માત નહીં કાવતરું ગણાવ્યું છે.
Odisha | FIR registered by Government Railway Police (GRP) in Cuttack under sections 153, 154 and 175 of the Railway Act against unknown persons in the Balasore train accident.
— ANI (@ANI) June 5, 2023
FIR was registered following a complaint by SI Papu Kumar Naik of Balasore GRPS pic.twitter.com/67vhxy3Iht
તેમણે દાવો કર્યો કે, મને 100 ટકાથી વધુ ખાતરી છે કે આ દુર્ઘટના કાવતરાથી થઈ છે. એક સેકન્ડમાં એક પછી એક અકસ્માત થાય તે એક યોજના જેવું લાગે છે. રેલવે સિસ્ટમમાં એક સાથે આટલા અકસ્માતના સંજોગ નથી હોતા.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
