સીએજીના નિવેદનથી કોંગ્રેસ લાલઘુમ

અમેરિકાની હાર્વર્ડ કેનેડી સ્કૂલમાં એક લેક્ચર દરમિયાન વિનોદ રાયે કહ્યું કે, પબ્લિક ઓડિટરના પ્રયત્નો ક્રોની કેપિટલિઝમ એટલે કે સરકારી અધિકારીઓ અને કારોબારીઓ વચ્ચે સાંઠગાંઠને સામે લાવવા પડશે.
સીએજીએ ઇશારો કર્યો કે સરકાર, ઉદ્યોગપતિઓ અને કારીબોરીઓનું સમર્થન કરતી રહી છે, જ્યારે સરકારને ઉદ્યોગ અને કારબારનું સમર્થન કરવું જોઇએ. વિનોદ રાયે કહ્યું હતું કે સીએજીની ભૂમિકા માત્ર અહેવાલને સંસદમાં રાખવા સુધી સીમિત ના હોવી જોઇએ, પરંતુ લોકોને જાગરુક કરવા જોઇએ.
સીપીએમ નેતા ડી રાજાએ સીએજીનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે સીએજી દેશની સૌથી મોટી ઓડિટ સંસ્થા છે. સરકારે તેની વાતોને ગંભીરતાથી લેતા શીખવું જોઇએ. તૃણમૂલ કોંગ્રેસના સુલ્તાન અહમદે પણ સીએજીનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે સીએજી જે કહે છે તેના પર દેશ વિશ્વાસ કરે છે.
સીએજીના પૂર્વ અધિકારી આર પી સિંહે પણ વિનોદ રાયને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કેસ સીએજી એક સ્વતંત્ર સંસ્થા છે. વિનોદ રાય કોઇપણ દબાણમાં કામ કરી રહ્યાં નથી.












Click it and Unblock the Notifications
