નીતિશે આરજેડી, એલજેપી તથા કોંગ્રેસના ગઠબંધનની કરી અવગણના
પટણા, 26 ડિસેમ્બર: બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમારે બુધવારે કહ્યું હતું કે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી), કોંગ્રેસ અને લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)નું જુનુ ગઠબંધન છે, જેને પ્રજા અજમાવી ચૂકી છે અને નકારી કાઢી ચૂકી છે. એલજેપી અને જેડીયૂના ચૂંટણી તાલમેળની પર કોઇ વાત હોવા અંગે પણ તેમને મનાઇ કરી દિધી છે.
દિલ્હીથી પટણા પરત ફરતી વખતે પત્રકારો સાથે ચર્ચા કરતાં નીતિશ કુમારે કહ્યું હતું કે આરજેડી-એલજેપી અને કોંગ્રેસનું જુનુ ગઠબંધન છે. આને નવેસરથી રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેમને કહ્યું હતું કે તેમને આ ગઠબંધનમાં કોઇ દિલચસ્પી નથી. તેમને દાવો કર્યો હતો કે હવે આ ગઠબંધન કોઇપણ હાલતમાં લોકોના મનમાં ઉતરશે નહી.

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા સંબંધમાં તેમને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજકીય કારણોથી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપી રહી નથી. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઇએ તેને અહીંના લોકોનો હક ગણાવતાં નીતિશ કુમારે કહ્યું હતું કે આ મુદ્દાને સાઇડલાઇન કરી દેવામાં આવ્યો છે. તેમને કહ્યું હતું કે આ અંગે લોકોને અભિયાન ચલાવીને જણાવવામાં આવશે. તેમને કહ્યું હતું કે હું તો શરૂઆતથી જ બિહાર જેવા પછાત રાજ્યોને વિશેષ દરજ્જો આપવાની વાત કરતો આવ્યો છું.












Click it and Unblock the Notifications
