કોંગ્રેસની ચિંતન શિબિરઃ નક્કી થશે 2014ની રણનીતિ

આ ઉપરાંત ભ્રષ્ટચાર એક એવી સમસ્યા છે, જ્યાં યૂપીએના બીજા શાસનકાળને સૌથી વધારે પ્રશ્નોના ઘેરામાં લાવી દીધી છે. તેમજ ઘણા એવા રાજ્યો છે જ્યાં છેલ્લા દસકાથી કોંગ્રેસ સત્તા પર નથી, તેથી આવા રાજ્યો માટે એક મજબૂત નીતિ તૈયાર કરવામાં આવશે. રાજકીય સમસ્યાઓથી નીપટવા માટે એક વિશેષ સત્ર હશે, જેની અધ્યક્ષતા રક્ષામંત્રી એકે એન્ટોની કરશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહની અધ્યક્ષતામાં મોંઘવારી અને ખાદ્ય સુરક્ષા યોજના પર એક સત્રનુ આયોજન કરવામાં આવશે. મહિલાઓની સુરક્ષા અને તેમના વિરુદ્ધ થયા ગુન્હાઓને રોકવા માટે ગિરજા વ્યાસની અધ્યક્ષતામાં મહિલા સશક્તિકરણ વિષય પર ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ પોતાના બાકી રહેલા કાર્યકાળમાં રાજનીતિમાં મહિલાઓ માટે 33 ટકા આરક્ષણવાળા બીલને પણ પાસ કરવાની યોજના બનાવી રહી છે. જેનાથી દિલ્હી ગેંગરેપની ઘટના બાદ શર્મસાર થયેલી સરકાર પર પડદો પાડી શકાય.
ભારત-પાકિસ્તાનના વર્તમાન સંબંધોને લઇને પણ એક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું અધ્યક્ષતા વાણિજ્ય મંત્રી આનંદ શર્મા કરશે. કોંગ્રેસમાં આગામી ચૂંટણીમાં યુવાઓને જવાબદારી સોંપવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવશે, જેના અધ્યક્ષસ્થાને સ્વાસ્થ્યમંત્રી ગુલામ નબી આઝાદ હશે.
પાર્ટી સામે પડકારો ઘણા છે. હવે એ જોવાનું છે કે કોંગ્રેસ આલાકમાન આ પડકારોમાંથી બહાર નીકળવામાં કેવી રીતે સફળતાં મેળવે છે.












Click it and Unblock the Notifications
