રાયબરેલીથી કોંગ્રેસ રોબર્ટ વાડ્રાને મેદાનમાં ઉતારવા જઈ રહી છે? જાણો શું છે હકિકત?
સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. અહેવાલો તો એવા પણ છે કે કોંગ્રેસ વાડ્રાને રાયબરેલીથી ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે.
ઉત્તર પ્રદેશના રાયબરેલી અને અમેઠી સંસદીય ક્ષેત્રથી ચૂંટણી લડવાના પ્રશ્ન પર તેમણે સંકેત આપ્યો કે જનતા ઇચ્છે છે કે તેઓ ચૂંટણી લડે. આ બંને મતવિસ્તારના લોકો ઈચ્છે છે કે ગાંધી પરિવારમાંથી કોઈ તેમનું પ્રતિનિધિત્વ કરે.

એબીપી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રોબર્ટ વાડ્રાએ કહ્યું કે હું 1999 થી રાયબરેલી અને અમેઠીમાં પ્રચાર કરી રહ્યો છું. જ્યારે લોકો જુએ છે કે કેવી રીતે ભાજપ હંમેશા ચૂંટણી દરમિયાન ED દ્વારા મને ટાર્ગેટ કરે છે, ત્યારે લોકો માંગ કરે છે કે હું પણ જવાબ આપું. લોકોની માંગ છે કે હું સંસદમાં આવું, પછી તે રાયબરેલી બેઠક હોય, અમેઠી બેઠક હોય, મુરાદાબાદ બેઠક હોય, તેલંગાણાની હોય કે દિલ્હીની કોઈપણ બેઠક હોય.
વાડ્રાએ કહ્યું કે, રાયબરેલી અથવા અમેઠીના લોકો ચોક્કસપણે ઇચ્છે છે કે ગાંધી પરિવારમાંથી કોઈ તેમનું પ્રતિનિધિત્વ કરે અને હવે તેમને એ વાતનો પણ અફસોસ છે કે તેઓએ રાહુલ ગાંધીને ભાજપની સ્મૃતિ ઈરાનીએ દૂર કર્યા.
બીજેપી દ્વારા પોતાને નિશાન બનાવવા અંગે રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, હું માનું છું કે હવે પ્રિયંકા ગાંધીનો સમય છે. પહેલા તે સંસદમાં આવશે. જ્યારે તે આ અંગે નિર્ણય લેશે ત્યારે હું સંસદમાં આવીશ. BJP ED અને અન્ય એજન્સીઓનો દુરુપયોગ કરે છું. હું પણ ઘણો ભોગ બન્યો છું પણ હું આ બધામાંથી શીખું છું.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
