કોંગ્રેસે નક્કી કરવાનુ છેકે તેઓ લોકતંત્ર સાથે છેકે પીએમ મોદી સાથે: અરવિંદ કેજરીવાલ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકારના વટહુકમ સામે દેશના વિપક્ષી નેતાઓનું સમર્થન માંગી રહ્યા છે. આ કારણે આજે તેઓ ઝારખંડના સીએમ અને જેએમએમના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેનને રાંચીમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. સાથે જ તેમણે કોંગ્રેસ વિશે કહ્યું કે કોંગ્રેસે નક્કી કરવાનું છે કે તે લોકશાહી સાથે છે કે પીએમ મોદી સાથે.
દિલ્હીના સીએમ અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ ભગવંત માન અને અન્ય AAP નેતાઓ સાથે ઝારખંડના સીએમ હેમંત સોરેનના રાંચીના નિવાસસ્થાને પહોંચ્યા. જ્યાં તેમણે કેન્દ્રના વટહુકમ અંગે ચર્ચા કરી હતી. આ વટહુકમ સામે ઝારખંડના મુખ્યમંત્રી પાસે સમર્થન પણ માંગ્યું હતું.

દિલ્હી સરકાર વિરુદ્ધ કેન્દ્રના વટહુકમ અંગે રાંચીમાં ઝારખંડના સીએમ હેમંત સોરેનને મળ્યા. બેઠક બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ વટહુકમ ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં રજૂ કરવામાં આવશે.
ભાજપ પાસે લોકસભામાં બહુમતી છે પણ રાજ્યસભામાં નથી. તેથી જો તમામ બિન-ભાજપ પક્ષો એક થાય તો આ વટહુકમને હરાવી શકાય છે. તે માત્ર દિલ્હીની જ નહીં, પરંતુ દેશના સંઘીય સિદ્ધાંતોની વાત છે. મોદી સરકાર બંધારણ સાથે છેડછાડ કરી રહી છે.
ગયા મહિને દિલ્હીની જનતા સાથે ઘોર અન્યાય થયો. તેમનું અપમાન કરવામાં આવ્યું અને તેમના લોકતાંત્રિક અધિકારો છીનવાઈ ગયા. 11 મેના રોજ આપેલા ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે દિલ્હીના લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર પાસે સત્તા હશે. પરંતુ કમનસીબે 19 મેના રોજ સરકારે વટહુકમ લાવીને આદેશને બાયપાસ કર્યો. મોદી સરકારે કહ્યું કે તેઓ ચૂંટાયેલી સરકારને કામ કરવા દેશે નહીં.
સીએમ કેજરીવાલે કોંગ્રેસના સ્ટેન્ડ અંગેના સવાલના જવાબમાં કહ્યું કે આજે કોંગ્રેસે નક્કી કરવાનું છે કે તે લોકશાહી સાથે છે, દેશના 140 કરોડ લોકો સાથે છે કે મોદીજી સાથે છે.
આ બાબતે ઝારખંડના સીએમ હેમંત સોરેને કહ્યું કે આ વટહુકમ દેશની સંઘીય વ્યવસ્થા અને વિવિધતામાં એકતાના વિચાર પર હુમલો છે. કેન્દ્ર સરકાર સંઘીય માળખાની વાત કરે છે, પરંતુ તેનાથી વિપરીત કામ કરે છે. આજે એ સ્પષ્ટ થઈ ગયું છે કે જે પક્ષો ભાજપના સહયોગી નથી તેઓ લગભગ સામનો કરી રહ્યા છે.
આ માત્ર સરકાર પર જ નહીં પરંતુ લોકો પર પણ હુમલો છે. અમે પાર્ટીની અંદર આ મુદ્દા પર પણ ચર્ચા કરીશું અને લોકતાંત્રિક રીતે આ વટહુકમ સામે કેવી રીતે આગળ વધવું.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકારના વટહુકમ સામે દેશના વિપક્ષી નેતાઓનું સમર્થન માંગી રહ્યા છે. આ માટે તેઓ મમતા બેનર્જી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, તેલંગાણાના સીએમ કેસીઆરને મળ્યા છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાતની પણ માંગ કરી છે.
શું છે વટહુકમ?
11 મેના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કાર્યકારી IAS અધિકારીઓની બદલી કરવાની સત્તા આપી હતી. આ પછી, કાર્યવાહી કરીને AAPએ સેવા સચિવ આશિષ મોરેની બદલી કરી. મોરે એલજીને ફરિયાદ કરી હતી કે તેમની બદલી મંત્રી સૌરભ ભારદ્વાજના અંગત વેરનું પરિણામ હતું.
19 મેના રોજ, કેન્દ્ર સરકારે એલજીને વિશેષ સત્તા આપવા અને દિલ્હી અધિકારીઓ માટે અલગ સર્વિસ કમિશન બનાવવા માટે વટહુકમ પસાર કર્યો. જેને આમ આદમી પાર્ટી ગેરબંધારણીય ગણાવી રહી છે. તે જ સમયે, બીજેપી નેતા આ વટહુકમને દિલ્હીની ગરિમા જાળવવા માટે જરૂરી ગણાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
