'ખાલી લોટા'વાળી જાહેરાત બાદ કોંગ્રેસનો ભાજપ પર વધુ એક હુમલો, રાહુલ ગાંધીએ કહ્યુ 'ભારતીય ચોમ્બૂ પાર્ટી'
Lok Sabha Election 2024: રાહુલ ગાંધીએ શુક્રવારે કર્ણાટકની ચૂંટણી રેલીમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ખાલી લોટાવાળી જાહેરાત અંગે તેમણે કહ્યું કે ભાજપને એ બતાવવામાં આવ્યું છે કે તેમના નેતાઓના વચનોમાં કોઈ દમ નથી, તમામ દાવા પોકળ છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ભારતમાં ગરીબી, બેરોજગારી અને મોંઘવારી સહિત ત્રણથી ચાર મુખ્ય મુદ્દા છે જેને પીએમ મોદીએ નજરઅંદાજ કર્યા છે.
ગરીબી, બેરોજગારી અને મોંઘવારી મુદ્દે કર્ણાટકના વિજયપુરા અને બલ્લારી જિલ્લા મુખ્યાલયમાં આયોજિત રેલીઓમાં રાહુલ ગાંધીએ મંચ પરથી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પીએમ મોદી કોંગ્રેસની સતત ટીકા કરીને પોતાની નિષ્ફળતા છુપાવવા માંગે છે. તેમણે કહ્યું કે પીએમ મોદી ડરી ગયા છે, હવે તેઓ મંચ પર આંસુ પણ વહાવી શકે છે.

રાહુલ ગાંધીએ ભાજપને 'ભારતીય ચોમ્બુ પાર્ટી' ગણાવી હતી. તેમણે કહ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીએ જનતાના પૈસા લૂંટ્યા અને બદલામાં તેમને ખાલી વાસણો આપ્યા. આ છે મોદીની ભારતીય ચોમ્બુ પાર્ટી!"
વાસ્તવમાં, કર્ણાટકમાં કોંગ્રેસે શુક્રવારે તેની જાહેરાતોમાં 'ચોમ્બુ' (લોટા) સાથે સરખામણી કરીને કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધ્યું હતું. બંને પક્ષોએ એકબીજા પર રાજ્ય માટે કંઈ ન કરવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે લોટાને કન્નડ ભાષામાં 'ચોમ્બુ' કહેવામાં આવે છે, જે 'છેતરપિંડી અને ખોખલાપણું' વ્યક્ત કરવા માટેનું પ્રતીક માનવામાં આવે છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટીને 'ભારતીય ચોમ્બુ પાર્ટી' ગણાવી અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીએ જનતાના પૈસા લૂંટી લીધા અને બદલામાં તેમને ખાલી વાસણો આપ્યા. અગાઉ, રાહુલ ગાંધીએ વિજયપુરા અને બલ્લારી જિલ્લાના મુખ્ય મથક નગરોમાં જાહેર સભાઓને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે કોંગ્રેસ પર તેમના સતત હુમલા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે તેઓ ડરી ગયા છે અને સ્ટેજ પર આંસુ પણ વહાવવા લાગ્યા છે.












Click it and Unblock the Notifications
