ફ્લોર ટેસ્ટ પહેલા રિસોર્ટમાં જ રહેશે કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યો
કર્ણાટકમાં આજે થનારા જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારના ફ્લોર ટેસ્ટ પહેલા બંને પક્ષો કોઈ પણ પ્રકારનું જોખમ લેવા નથી ઈચ્છતા. જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્યો ફ્લોર ટેસ્ટ થવા સુધી બેંગલુરુના રિસોર્ટમાં જ રહેશે.
કર્ણાટકમાં આજે થનારા જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારના ફ્લોર ટેસ્ટ પહેલા બંને પક્ષો કોઈ પણ પ્રકારનું જોખમ લેવા નથી ઈચ્છતા. એટલા માટે જ જેડીએસ-કોંગ્રેસના તમામ ધારાસભ્યો બપોરે 12 વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ થવા સુધી બેંગલુરુના રિસોર્ટમાં જ રહેશે. આ પહેલા જ્યારે યેદુરપ્પા સરકારનો ફ્લોર ટેસ્ટ થવાનો હતો ત્યારે પણ કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને અલગ હોટલમાં રાખ્યા હતા જેથી તેમને કોઈ પણ પ્રકારના ખરીદ-વેચાણથી બચાવી શકાય.
જો કે જેડીએસે દાવો કર્યો છે કે તેને ફ્લોર ટેસ્ટ માટે કોઈ ચિંતા નથી. મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યુ કે મને કોઈ ચિંતા નથી. અમે બહુમત સાબિત કરીશુ. તમને જણાવી દઈએ કે બપોરે 12.15 વાગે વિધાનસભાની કાર્યવાહી શરૂ થશે અને બે વાગે કુમારસ્વામી વિધાનસભામાં પોતાનો વિશ્વાસમત પ્રસ્તાવ રજૂ કરશે. એ જોવાનું રસપ્રદ રહેશે કે શું કોંગ્રેસ અને જોડીએસ પોતાના ધારાસભ્યોને બચાવી શકે છે કે નહિ.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં કોંગ્રેસના ખાતામાં કુલ 78 સીટો આવી છે જ્યારે જેડીએસના ખાતામાં માત્ર 38 સીટો આવી છે. કર્ણાટકમાં કુલ 222 સીટો પર થયેલ ચૂંટણીમાં ભાજપે 104 સીટો પર જીત મેળવી છે. પ્રદેશમાં કુલ 34 મંત્રીઓની જગ્યા છે જેમાં માનવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસના ખાતામાં 22 મંત્રાલય જશે અને જેડીએસના ખાતામાં 12 મંત્રાલય જઈ શકે છે. જો કે આના પર હજુ અંતિમ નિર્ણય આવ્યો નથી.