જે પણ કોંગ્રેસ અધ્યક્ષ બનશે તે ગાંધી પરિવાર હેઠળ કામ કરશેઃ દિગ્વિજય સિંહ
નામાંકન ભરવાના એક દિવસ પહેલા દિગ્વિજય સિંહે સ્પષ્ટ કરી દીધુ કે જે પણ કોંગ્રેસ અધ્યક્ષ બનશે તે ગાંધી પરિવારની અંદર કામ કરશે.
નવી દિલ્લીઃ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ આજે નામાંકન ભરી શકે છે. તમને જણાવી દઈએ કે આ રેસમાં નેતા શશિ થરુર પણ છે. નામાંકન ભરવાના એક દિવસ પહેલા દિગ્વિજય સિંહે સ્પષ્ટ કરી દીધુ કે જે પણ કોંગ્રેસ અધ્યક્ષ બનશે તે ગાંધી પરિવારની અંદર કામ કરશે. દિગ્વિજય સિંહે કહ્યુ કે, 'ભલે અધ્યક્ષ ગમે તે બને ગાંધી પરિવાર અમારા નેતા રહેશે. હું અહીં ફૉર્મ ભરવા માટે છુ અને પછી હું ભારત જોડો યાત્રામાં શામેલ થવા માટે પાછો જઈશ. દરેક પીસીસી પ્રતિનિધઇને કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી લડવાનો અધિકાર છે. મે નહેરુ-ગાંધી પરિવાર સાથે પોતાના નામાંકન પર ચર્ચા નથી કરી. હું એકે એંટની અને ખડગે સહિત ઘણા વરિષ્ઠ નેતાઓને મળ્યો છુ.'

દિગ્વિજય સિંહે કહ્યુ, 'નહેરુ-ગાંધી પરિવાર અમારા નેતા રહેશએ. જે પણ પાર્ટી અધ્યક્ષ બનશે તે તેમના નેતૃત્વમાં કામ કરશે. અમારી પ્રાથમિકતા એ જોવાની છે કે દેશમાં સ્થિતિ કેવી રીતે સુધરે છે, દેશને વિભાજિત નહિ થવા દઈએ અથવા બંધારણને નબળુ નહિ પડવા દઈએ.' આ પહેલા રાજસ્થાન કોંગ્રેસ ધારાસભ્ય સચિન પાયલટે પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. સચિન પાયલટ સોનિયા ગાંધીને મળવા માટે ત્યારે ગયા જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વફાદારોના વિરોધ બાદ કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીમાંથી પોતાની ઉમેદવારી પાછી લઈ લીધી.
સીએમ અશોક ગેહલોતે દિલગીરી વ્યક્ત કરીને કહ્યુ કે, 'હું કોચ્ચિમાં રાહુલ ગાંધીને મળ્યો અને તેમને કોંગ્રેસ અધ્યક્ષ માટે ચૂંટણી લડવાનો અનુરોધ કર્યો. જ્યારે તેમણે સ્વીકાર ના કર્યો ત્યારે મે કહ્યુ કે હું ચૂંટણી લડીશ પરંતુ હવે રાજસ્તાનમાં રાજકીય સંકટ સાથે મે ચૂંટણી નહિ લડવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા બે દિવસમાં રાજ્યમાં જે કંઈ પણ થયુ તેણે સહુને ચોંકાવી દીધા છે.'
બીજી તરફ, કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે ગુરુવાલે દિલ્લીમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. તેઓ અગાઉ સોમવારે પણ ગાંધીને મળ્યા હતા. કોંગ્રેસ નેતા શશિ થરુરે જણાવ્યુ કે તેઓ શુક્રવારે બપોરે 12.15 વાગે તેમનુ નામાંકન દાખલ કરશે. ત્યારબાદ 1 વાગે તેમના નિવાસસ્થાન 97 લોધી એસ્ટેટમાં પ્રેસ કૉન્ફરન્સ કરશે. તેમણે દિગ્વિજય સિંહની ઉમેદવારી આવકારી અને કહ્યુ કે આ મૈત્રીપૂર્ણ સ્પર્ધા રહેશે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
