યુનિફોર્મ સિવિલ કોડ પર કોંગ્રેસ નેતા સુરજેવાલે આપ્યું નિવેદન, કહ્યું UCCને લોકો પર ના થોપી શકાય
યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અંગે ચર્ચા ફરી એકવાર દેશમાં શરૂ થઈ રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી છે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો
યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અંગે ચર્ચા ફરી એકવાર દેશમાં શરૂ થઈ રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી છે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. આ સાથે જ કોંગ્રેસે કહ્યું છે કે લોકો પર યુનિફોર્મ સિવિલ કોડ લાદવામાં આવી શકે નહીં.

યુસીસીને લાદવામાં આવી શકે નહી
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે યુસીસી લોકોને પર લાદવામાં આવી શકે નહીં. સુરજેવાલાએ કહ્યું કે તે વૈકલ્પિક હોવું જોઈએ. 'વિદ્યાર્થી સંસદ'ની 10 મી આવૃત્તિને સંબોધન કરતાં સુરજેવાલાએ કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડ તમારા પર લાદવામાં આવી શકે નહીં, તે ફરજિયાત નથી, તે વૈકલ્પિક હોવું જોઈએ.' કોંગ્રેસ નેતાએ કહ્યું કે તે સ્વૈચ્છિક હોવું જોઈએ અને તે એક મોટું પગલું હશે.

જાતિ આધારીત હીંસાનો કર્યો ઉલ્લેખ
દેશમાં જાતિ આધારિત હિંસાનો ઉલ્લેખ કરતા સુરજેવાલાએ કહ્યું કે કોઈએ વાસ્તવિકતાથી વળવું જોઈએ નહીં, જાતિના આધારે ભેદભાવ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે માનસિકતા બદલીને અને ગુનેગારોને સજા આપીને આનું નિરાકરણ આવી શકે છે. તેમણે કહ્યું કે દલિતો પર થયેલા હુમલાની છેલ્લા કેટલાક બનાવો દર્શાવે છે કે સમાજમાં જાતિવાદ કેવી રીતે વર્ચસ્વ ધરાવે છે. ગત લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે કહ્યું હતું કે તેમનો પક્ષ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા પ્રતિબદ્ધ છે.

સરકારે તમામ મુદ્દા ધ્યાનમાં લેવા જોઇએ
યુનિફોર્મ સિવિલ કોડ અંગેની ચર્ચા દેશમાં લાંબા સમયથી ચાલી રહી છે, રાજકીય રેટરિક ઘણીવાર સામે આવે છે. દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં દાખલ કરેલી અરજી પર કેન્દ્ર પાસે જવાબ માંગ્યો હતો, જેના પર સરકારે કહ્યું હતું કે આ એક મોટો મુદ્દો છે અને સરકાર તેનાથી સંબંધિત તમામ મુદ્દાઓને ધ્યાનમાં લીધા પછી જ તેનો જવાબ ફાઇલ કરી શકે છે.
આ પણ વાંચો: શાહીન બાગમાં બાળકોને 'મોદીને મારી નાખો' જેવા નારા શીખવવામાં આવે છે: સ્મૃતિ ઈરાની
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
