Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ત્રણ તલાક પર કોંગ્રેસનું મોટુ નિવેદન, સત્તામાં આવ્યા તો ખતમ કરીશુ કાયદો

ત્રણ તલાક કાયદા અંગે કોંગ્રેસ તરફથી ગુરુવારે મોટુ નિવેદન સામે આવ્યુ છે.

ત્રણ તલાક કાયદા અંગે કોંગ્રેસ તરફથી ગુરુવારે મોટુ નિવેદન સામે આવ્યુ છે. કોંગ્રેસના લઘુમતી મહાઅધિવેશનમાં મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુષ્મિતા દેવે કહ્યુ, 'જો અમારી સરકાર આવી તો નરેન્દ્ર મોદી સરકારના લાવેલા ટ્રિપલ તલાક કાયદાને ખતમ કરી દઈશુ. તેમણે એ પણ કહ્યુ કે આ કાયદો મુસ્લિમ પુરુષોને જેલમાં મોકલવાનું એક ષડયંત્ર છે. વળી, આ પહેલા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ કે તેમનો ચહેરો ધ્યાનથી જોઈએ તો તમને ગભરાટ દેખાશે.'

sushmita dev

દિલ્લીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં કોંગ્રેસ લઘુમતી મોરચા સંમેલનને સંબોધિત કરતા દેવે કહ્યુ કે આ કાયદો મોદી સરકારનું વધુ એક હથિયાર છે જેનો ઉપયોગ તે મુસ્લિમ પુરુષોને જેલમાં નાખવા માટે અને પોલિસ સ્ટેશનમાં ઉભા કરવા માટે કરે છે. મુસ્લિમ મહિલાઓએ આનો પૂરજોશમાં વિરોધ કર્યો છે અને કોંગ્રેસ પણ આ કાયદોનો વિરોધ કરે છે. આ મહિલાઓનું સશક્તિકરણ નહિ કરે પરંતુ તેમના અને મુસ્લિમ પુરુષો વચ્ચે વિભાજન પેદા કરશે.

અસમ એનઆરસી મુદ્દે બોલતા દેવે કહ્યુ કે સિટીઝનશીપ આપવાના નામે અસમને વિભાજીત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમે એવા કોઈ પણ કાયદાનું સમર્થન નથી કરતા જે બંધારણના વિરોધમાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X