કોંગ્રેસ બળાત્કારીઓને નપુસંક બનાવવાની સજા માંગી શકે
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના સભ્યોનો અંતિમ ખરડો ન્યાયમૂર્તિ જે એસ વર્માના નેતૃત્વવાળી સમિતિને સોંપવામાં આવશે. આ સમિતિની રચના 16 ડિસેમ્બરની હ્યદયદ્વાવક ઘટના બાદ કરવામાં આવી હતી. જો કે હજી કાયદા અંગેનો કોઇ મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો નથી. આ આકરા કાયદાની કેટલીક જોગવાઇઓમાં દોષિતોને 30 વર્ષ સુધીની સજા અને આવા કિસ્સાઓમાં ત્રણ મહિનામાં નિર્ણય કરવા માટે ફાસ્ટ ટ્રેક અદાલતોની રચના કરવાની જોગવાઇનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં 23 ડિસેમ્બરના રોજ કાયદાકીય જોગવાઇઓ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે આ મુદ્દે સામૂહિક બળાત્કારની ઘટનાનો વિરોધ કરી રહેલા એક જૂથની સભ્યો સાથે બેઠક યોજી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં રાષ્ટ્રીય સલાહકાર પરિષદ પણ સામેલ થશે.
આ સંદર્ભમાં સૂત્રોએ જણાવ્યું કે કૃષ્ણા તીરથના નેતૃત્વવાળા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ગત શુક્રવારે વિવિધ હિતધારકો સાથે લાંબી બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બળાત્કારીઓને કેવી સજા કરવી તે અંગે વિવિધ વિકલ્પો બહાર આવ્યા હતા. રેણુકા ચૌધરીએ બળાત્કારના દોષિતોને રાસાયણિક પ્રક્રિયાથી નપુસંક બનાવવાનું સમર્થન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની સજા અન્ય દેશોમાં ઘણા સમયથી અમલી છે. તેનાથી અપરાધોને અસરકારક રીતે રોકવામાં ભારે સફળતા મળી છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી








Click it and Unblock the Notifications
