બંધારણ મુદ્દે RSS ચીફ મોહન ભાગવત વિરૂદ્ધ કોંગ્રેસે મોરચો ખોલ્યો, જાણો શું છે પુરો વિવાદ?
વર્ષો સુધી ભારતના તિરંગા ઝંડા અને બંધારણને ન માનનારા આરએસએસના ચીફ મોહન ભાગવતે હવે નવો વિવાદ છેડ્યો છે. કોંગ્રેસે મોહન ભાગવત વિરૂદ્ધ મોરચો ખોલી દીધો છે.
ભારતના બંધારણને લઈને વિવાદીત નિવેદનો આપવા માટે જાણીતા આરએસએસના ચીફ મોહન ભાગવતે હાલમાં જ કહ્યું હતું કે દેશમાં સાચી આઝાદી રામ મંદિર બન્યા બાદ આવી છે.

હવે કોંગ્રેસનું કહેવું છે કે મોહન ભાગવતની ટિપ્પણી બંધારણનો અનાદર છે. ભાજપ, આરએસએસ અને ભારત સામે લડવાની રાહુલ ગાંધીની ટિપ્પણી પર હુમલો કરવા બદલ ભાજપની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી.
છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, ભાજપે રાહુલના શબ્દોને ખોટી રીતે રજૂ કર્યા છે. જો કોઈ બીજા દેશમાં ભાગવત જેવું નિવેદન આપશે તો તેની ધરપકડ કરવામાં આવશે. બઘેલે ભાજપ પર સમાજને વિભાજીત કરવાના રાહુલના ઇરાદાઓને વિકૃત કરવાનો આરોપ લગાવ્યો.
ભુપેશ બઘેલે કહ્યું કે, ભાગવત અને તેમનું સંગઠન વારંવાર બંધારણ વિરુદ્ધ નિવેદનો આપે છે. તેમણે અગાઉના ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો જ્યારે ભાજપના સાંસદોએ કથિત રીતે તેને બદલવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. આવી કાર્યવાહી ભારતની સ્વતંત્રતા માટે પોતાના જીવનનું બલિદાન આપનારાઓનું અપમાન ગણાવી.
બુપેશ બઘેલે ત્રિરંગાને સ્વીકારવામાં RSSની કથિત ઐતિહાસિક અનિચ્છાની યાદ અપાવી અને કહ્યું કે તેને સ્વીકારવામાં 52 વર્ષ લાગ્યા. ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન બ્રિટિશરો સાથે તેમના કથિત સહયોગને પણ યાદ કરાવ્યો.
જણાવી દઈએ કે, ભાગવતે કહ્યું હતું કે રામ મંદિરના અભિષેકને પ્રતિષ્ઠા દ્વાદશી તરીકે ઉજવવો જોઈએ. તેમણે આને ભારતની સાચી સ્વતંત્રતા તરીકે વર્ણવી, જે સદીઓથી વિદેશી આક્રમણ પછી પ્રાપ્ત થઈ છે. આ નિવેદનથી વિવાદ થયો અને વિરોધ પક્ષો દ્વારા તેની આકરી ટીકા કરવામાં આવી રહી છે.
કોંગ્રેસે મોહન ભાગવત પર ટિપ્પણીઓ દ્વારા ભારતના બંધારણીય મૂલ્યોને નબળી પાડવાનો આરોપ લગાવ્યો અને દલીલ આપી કે આવા નિવેદનો સ્વતંત્રતા માટે લડનારા અને બંધારણના મુસદ્દામાં યોગદાન આપનારાઓનું અપમાન છે.












Click it and Unblock the Notifications
