નરેન્દ્ર મોદીને લઇને કોંગ્રેસ હાફળી-ફાંફળી બની ગઇ છે: ભાજપ
દહેરાદુન, 11 જુલાઇ: ભાજપાએ ગુરૂવારે નરેન્દ્ર મોદીને લઇને કોંગ્રેસ પર ગાંડી બની ગઇ હોવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે જો આવું ના હોત તો ઉત્તરાખંડમાં પાર્ટીના નેતૃત્વવાળી સરકાર, ગુજરાત સરકાર દ્વારા હોનારત પ્રભાવિત લોકોની મદદની માંગણી સંબંધી તથ્યોને 'સુનિયોજીત રીતે સંતાડતી'નહી.
ભાજપના રાષ્ટ્રીય સચિવ ત્રિવેન્દ્ર સિંહ રાવતે સંવાદદાતાઓને કહ્યું હતું કે મને સમજણ પડતી નથી કે નરેન્દ્ર મોદીને કોંગ્રેસ કેમ ગાંડી બની ગઇ છે. આ ગાંડી બની જવું નથી તો બીજું શું છે. બહુગુણા સરકાર રાજ્યના પૂર પીડિત લોકોની મદદ માટે નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં રાશિ વિશે ખુલીને ચર્ચા પણ કરતી નથી.

ઉત્તરાખંડમાં ત્રાસદી બાદ પ્રભાવિત લોકો માટે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા એક ટ્રેનમાં 12 કરોડ રૂપિયાની રાહત સામગ્રી મોકલવાનો દાવો કરતાં ભાજપના નેતાએ કહ્યું હતું કે રાજ્ય સરકારે કોઇપણ પદાધિકારીએ તે અંગે કંઇપણ કહ્યું નથી. તેમને કહ્યું હતું કે ગુજરાત દ્વારા આપવામાં આવેલી મદદની ઓફર વિશે તે ખુલીને વાત કેમ કરતી નથી, જેવી રીતે અન્ય રાજ્યો વિશે કહે છે.
રાવતે કહ્યું હતું કે ફક્ત આટલું જ નહી, રાજ્ય સરકારના આમંત્રણ પર કાટમાળમાંથી લાશો કાઢવા વિશે જાણકાર એક ટીમ ગુજરાતથી દહેરાદુન આવી, પરંત્યુ તેની સેવા લીધા વિના તેને પરત મોકલી દેવામાં આવી. તેમને કહ્યું કે આ દેખાડો છે કે રાજ્ય સરકાર સુનિયોજિત રીતે દરેક તથ્યોને સંતાડવા માંગે છે જેથી નરેન્દ્ર મોદીના પક્ષમાં જવાની સંભાવના જોવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
