તેલંગાણા મુદ્દે કોંગ્રેસની પહેલમાં રાજકીય હિત છુપાયેલું : નરેન્દ્ર મોદી
હૈદરાબાદ, 31 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ અલગ તેલંગાણા રાજ્યની રચના પર કોંગ્રેસે આપેલી મંજૂરીને લોકોના સતત સંઘર્ષનું પરિણામ ગણાવ્યું છે. આ સાથે તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે આ મુદ્દાને લાંબા સમય સુધી ટાળવાનું ચાલુ રાખ્યું હતું. હવે જ્યારે ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે તેને મંજૂરી આપીને રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરી રહી છે.
તેલંગાણા પર આ પહેલનું સ્વાગત કરતા નરેન્દ્ર મોદીએ આ સંબંધમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારના ઇરાદાઓ પર શંકા વ્યક્ત કરી હતી. આ બાબતમાં આંઘ્રપ્રદેશના લોકોને લખેલા એક ખુલ્લા પત્રમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે "લોકોની શક્તિને કારણે કોંગ્રેસને પાછલા કેટલાક દિવસોમાં આમ કરવા માટે મજબૂર થવું પડ્યું છે. જે બાબતને કોંગ્રેસ છેલ્લા 9 વર્ષથી ટાળી રહી હતી, તે હવે માનવી પડી છે."

નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે આટલા વર્ષોમાં આંધ્રપ્રદેશના લોકોનો સામનો કરવાને બદલે કોંગ્રેસ સમિતીઓ અને રિપોર્ટો પાછળ છુપતી રહી છે. શું તેઓ આ માટે આંધ્રપ્રદેશના લોકોની માફી માંગશે?
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા







Click it and Unblock the Notifications
