હવે લોકશાહી મુદ્દે વિદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવાની તૈયારીમાં કોંગ્રેસ, રાહુલ ગાંધી ફરી અમેરિકા જશે
ભારતમાં લોકશાહીને લઈને કેન્દ્ર સરકારના વલણથી તમામ વિપક્ષી પાર્ટીઓ નારાજ છે. સરકારના તાનાશાહી વલણ સામે કોંગ્રેસ સહિત તમામ પાર્ટીના નેતાઓ અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે હવે રાહુલ ગાંધી વિદેશમાં નરેન્દ્ર મોદીને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જૂને અમેરિકા જઈ રહ્યા અને અહીં વ્હાઈટ હાઉસમાં તેમના સન્માનમાં ડિનરનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે હવે રાહુલ ગાંધી આ પહેલા અમેરિકા જઈ શકે છે.

અહેવાલો અનુસાર, રાહુલ ગાંધી 4 જૂને અમેરિકામાં એક મોટી રેલી યોજી શકે છે. રાહુલ ગાંધી ન્યૂયોર્ક સ્ટેટના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં રેલી કરશે. રાહુલ ગાંધીનો અમેરિકા પ્રવાસ 31 મેથી શરૂ થઈ રહ્યો છે અને 10 દિવસનો રહેશે. આ દરમિયાન રાહુલ ગાંધી અમેરિકામાં અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે.
સમાચારોને સાચા માનીએ તો, વડાપ્રધાન મોદી જૂન મહિનામાં અમેરિકા જશે ત્યારે રાહુલ ગાંધી પણ તે પહેલા અમેરિકામાં જઈ રહ્યા છે. હવે કોંગ્રેસ પીએમ મોદીને લોકશાહીને લઈને વિદેશી ધરતી પર ઘેરવાનો પ્રયાસ કરશે.
રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ મુદ્દેઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ જણાવ્યું કે, રાહુલ ગાંધી વાસ્તવિક લોકશાહીના સામાન્ય વિચારો શેર કરવાના ઉદ્દેશ્ય સાથે જૂનમાં યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત દરમિયાન જાહેર સભાઓને સંબોધિત કરવાની અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવાની યોજના ધરાવે છે.
અહેવાલો અનુસાર, રાહુલ ગાંધી સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી અને ન્યુયોર્કની મુલાકાત લેવાના છે. અહીં રાહુલ ભારતીય અમેરિકનોની બે જાહેર સભાઓને સંબોધશે. આ ઉપરાંત તે કેપિટોલ હિલ પર સાંસદો અને થિંક ટેન્કના સભ્યો સાથે મુલાકાત કરશે. રાહુલ ગાંધી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે અને વોલ સ્ટ્રીટના અધિકારીઓ સાથે પણ મળવાનું આયોજન છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
