રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવા પર કોંગ્રેસે પીએમ મોદીને કર્યાં સવાલ, - આ જ છે તમારો આતંકીઓને પર રૂખ?
સુપ્રીમ કોર્ટે બુધવારે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં દોષિત એજી પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે અને આ માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ઘેરી છે.
સુપ્રીમ કોર્ટે બુધવારે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં દોષિત એજી પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે અને આ માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ઘેરી છે. કોંગ્રેસે કહ્યું છે કે જો પીએમની હત્યાના ગુનેગારને આ રીતે છોડવામાં આવે છે તો તે દેશની અખંડિતતા માટે સારો સંકેત નથી.
એજી પેરારીવલનને મુક્ત કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ પર કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, "અમને સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ખૂબ જ દુઃખ થયું છે. જો આતંકવાદ અને પીએમની હત્યાના ગુનેગારોને આ રીતે છોડવામાં આવશે તો આ દેશની અખંડિતતા કોણ જાળવશે? આજનો દિવસ દેશ માટે દુઃખદ છે, રાજીવ ગાંધી માત્ર કોંગ્રેસ પાર્ટીના જ ન હતા, તેઓ દેશના વડાપ્રધાન પણ હતા.
સુરજેવાલાએ કેન્દ્રને આડે હાથ લેતા કહ્યું કે પીએમ મોદી અને તેમની સરકારને આજે જવાબ આપવાની જરૂર છે કે તેઓ આતંકવાદ પર કેવું બેવડું વલણ ધરાવે છે? શું પીએમ મોદીના મૌનનો અર્થ પૂર્વ પીએમના હત્યારાને છોડાવવામાં તેમની સંડોવણી છે? રાજીવ ગાંધીનો હત્યારો છૂટી ગયો, શું આ નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રવાદ છે?
કયા નિયમ હેઠળ પેરારીવલનને મુક્તિ મળી?
સુપ્રીમ કોર્ટે કલમ 142 હેઠળ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં સજા કાપી રહેલા દોષી એજી પેરારીવલનની મુક્તિનો નિર્ણય લીધો છે. આ કેસમાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ વચ્ચે પેન્ડિંગ દયા અરજીને કારણે કોર્ટે આ આદેશ આપ્યો છે. મે 1991માં તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદ જૂન 1991માં પેરારીવલનની ધરપકડ કરવામાં આવી હતી. પેરારીવલન 31 વર્ષથી જેલમાં છે.