272થી ઓછી સીટો એનડીએને મળી તો વિપક્ષ પાસે છે સિક્રેટ પ્લાન
વિપક્ષી દળ એ અંગેની યોજના બનાવી રહ્યા છે કે આવી સ્થિતિમાં વહેલી તકે સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવે.
લોકસભા ચૂંટણીના પરિણામોની ઘોષણાની ઉલટી ગણતરી શરૂ થઈ ચૂકી છે. તમામ રાજકીય પક્ષો પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે પરિણામો પહેલા તમામ એક્ઝીટ પોલમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનીમાં એનડીએને પૂર્ણ બહુમત મળતો દેખાઈ રહ્યો છે પરંતુ વિપક્ષને ભરોસો છે કે પરિણામો એક્ઝીટ પોલના આંકડાથી અલગ હશે. આ જ કારણ છે કે તમામ વિપક્ષી દળ સતત એક થઈને સરકાર બનાવવાની સંભાવના તપાસી રહ્યા છે. બહુમતના આંકડા માટે કુલ 272 સીટોની જરૂર છે એવામાં જો એનડીએ બહુમતના આંકડાથી દૂર રહેશે તો વિપક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં બિલકુલ વિલંબ કરવાના મૂડમાં નથી. વિપક્ષી દળ એ અંગેની યોજના બનાવી રહ્યા છે કે આવી સ્થિતિમાં વહેલી તકે સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવે.

રણનીતિ માટે મહત્વની બેઠક
હિંદુસ્તાન ટાઈમ્સના સમાચાર અનુસાર ગયા અઠવાડિયે વરિષ્ઠ કોંગ્રેસ નેતા જેમાં પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શામેલ થયા હતા તેમાં પરિણામોના દિવસની રણનીતિ બનાવવામાં આવી હતી. આ બેઠકમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટે, અભિષેક મનુ સિંઘવી વચ્ચે મેરેથોન બેઠક થઈ હતી. આ બેઠક રાહુલ ગાંધીના નિવાસસ્થાને થઈ હતી. આ આખી બેઠકથી વાકેફ બે વરિષ્ઠ નેતાઓએ આ અંગેની માહિતી આપી. બેઠક દરમિયાન અમુક ડ્રાફ્ટ પર પણ ચર્ચા કરવામાં આવી જે પાર્ટીની લીગલ ટીમે તૈયાર કર્યો છે જેમાં અભિષેક મનુ સિંઘવી શામેલ છે. આમાં એ વાત પર ચર્ચા છે કે કેવી રીતે અલગ અલગ પક્ષો એનડીએને પોતાનું સમર્થન આપી શકે છે.

વહેલી તકે રજૂ કરશે દાવો
એક વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ જણાવ્યુ કે જો લોકસભામાં કોઈ પણ પક્ષને બહુમત નહિ મળે તો અમારે વહેલી તકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરવી જોઈએ જેનાથી અમે સરકાર બનાવવાની તક ગુમાવી ન દઈએ. એનડીએને બહુમત ન મળવાની સ્થિતિમાં અમે કર્ણાટકની જેમ સરકાર બનાવવાનો દાવો રજૂ કરીશુ. જો કે આ વિશે અંતિમ નિર્ણય યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી લેશે. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં કોંગ્રેસે બહુ ઓછા સમયમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરી દીધો હતો. કોંગ્રેસ પાસે જેડીએસની તુલનામાં ઘણી વધુ સીટો હોવા છતાં પાર્ટીએ મુખ્યમંત્રીની ખુરશી જેડીએસને આપીને મોટો દાવ ખેલ્યો હતો.

બધા વિકલ્પ પર ચર્ચા
સાધારણ સ્થિતિમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજકીય દળ એ વાતની રાહ જુએ છે કે રાષ્ટ્રપતિ સૌથી મોટા પક્ષને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે પરંતુ આ વખતે કોંગ્રેસ ભાજપ સામે નવી રણનીતિ તૈયાર કરી રહી છે જેનાથી જો એનડીએને પૂર્ણ બહુમત ન મળે તો સરકાર બનાવવાની તક ગુમાવી ના દે. આ વખતે કોંગ્રેસ સરકાર બનાવવાના કોઈ પણ કાયદાકીય વિકલ્પને છોડવા નથી ઈચ્છતી જેના માટે પાર્ટીની અંદર રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિનો અધિકાર
તમને જણાવી દઈએ કે ભારતીય બંધારણ અનુસાર રાષ્ટ્રપતે એ અધિકાર હોય છે કે તે કોઈ પક્ષ કે પક્ષોના સમૂહને સ્થિર સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે. સૌથી મોટા પક્ષને અન્ય પક્ષોની તુલનામાં પહેલા આમંત્રણ આપવામાં આવે છે. 2004માં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યુ હતુ. તે સમયે કોંગ્રેસના પક્ષમાં માત્ર 145 સીટો હતી જ્યારે ભાજપે 138 સીટો પર જીત મેળવી હતી. સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યા બાદ કોંગ્રેસે તમામ પક્ષો સાથે ગઠબંધન કરીને સરકારની રચના કરી હતી.

સ્થાનિક પક્ષો સાથે ચર્ચા
માહિતી અનુસાર કોંગ્રેસે આ રણનીતિ પર પહેલેથી જ તમામ સ્થાનિક પક્ષો સાથે ચર્ચા કરી લીધી છે. જેમાં મુખ્ય રીતે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, સીપીઆઈ નેતા સીતારામ યેચુરી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, બસપા સુપ્રીમો માયાવતી શામેલ છે. વળી, કોંગ્રેસ નેતાનું કહેવુ છે કે યેચુરી આ પક્ષમાં નથી કે બધા વિપક્ષી દળોએ સરકાર બનાવવાના દાવા પર એક સાથે હસ્તાક્ષર કરવા જોઈએ કારણકે આપ, ટીઆરએસ અને બીજેડી આમ કરવામાં સહજ નહિ રહે. યેચુરીનું કહેવુ છે કે અમે બધા આ વખતે એક સાથે મળીને ભાજપને સત્તામાંથી બહાર કરવા માટે લડી રહ્યા છે. પરિણામ આવ્યા બાદ સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે.
-
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામના મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
વિધાનસભા ચૂંટણી પછી શક્તિશાળી અને નિર્ભય આસામ ઉભરી આવશેઃ ગૌરવ ગોગોઈ -
Assam Assembly Election 2026: સવારે 11 વાગ્યા સુધીમાં 39% મતદાન થયું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો










Click it and Unblock the Notifications
