પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો માટે ટીવી ડિબેટમાં ભાગ નહિ લે કોંગ્રેસ, આ કારણે લીધો નિર્ણય
કોંગ્રેસ પાર્ટીએ મતગણતરી દરમિયાન કોઈ પણ ચેનલ પર ડિબેટ પેનલ પર પોતાની પાર્ટીના પ્રવકતાને જવાની અનુમિત આપી નથી. જાણો કારણ.
નવી દિલ્લીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવા શરૂ થઈ ગયા છે. સવારથી જ ટીવી ચેનલો પર રુઝાન બતાવવામાં આવી રહ્યા છે અને આ દરમિયાન અલગ અલગ પાર્ટીના પ્રવકતા ડિબેટ પેનલ પર બેઠેલા દેખાઈ રહ્યા છે પરંતુ કોંગ્રેસ પાર્ટીએ મતગણતરી દરમિયાન કોઈ પણ ચેનલ પર ડિબેટ પેનલ પર પોતાની પાર્ટીના પ્રવકતાને જવાની અનુમિત આપી નથી. પાર્ટી તરફથી આ નિર્ણય મતગણતરીના એક દિવસ પહેલા જ લેવામાં આવ્યો હતો.

કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને આ માહિતી આપી કે દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિને જોતા પાર્ટીના પ્રવકતા ચૂંટણી પરિણામો આવ્યા બાદ જ ટીવી ડિબેટમાં શામેલ થશે. રણદીપ સુરજેવાલાએ આગળ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ એ નક્કી કર્યુ છે કે મતગણતરી દરમિયાન અમારી પાર્ટીના કોઈ પ્રવકતા કોઈ ટીવી ડિબેટમાં શામેલ નહિ થાય. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધીને કહ્યુ કે આ મુશ્કેલ સમયમાં જ્યારે રાષ્ટ્ર એક અભૂતપૂર્વ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે તો કેન્દ્રની મોદી સરકાર નેતૃત્વ સંભાળવામાં નિષ્ફળ ગઈ છે અને એ અમને સ્વીકાર્ય નથી.
અમે મીડિયાના સવાલો માટે ઉપલબ્ધ રહીશુઃ સુરજેવાલા
સુરજેવાલાએ આગળ કહ્યુ કે મીડિયાના સવાલો માટે ઉપલબ્ધ રહીશુ, બની શકે કે અમે જીતી જઈએ કે હારી જઈએ પરંતુ આવા સમયમાં કે જ્યારે લોકોને ઑક્સિજન, હોસ્પિટલોમાં બેડ, દવાઓ અને વેંટિલેટરની કમી થઈ રહી છે ત્યારે અમારી ફરજ છે કે તેમની સાથે ઉભા રહીએ.
At a time when Nation is facing an unprecedented crisis, when Govt under PM Modi has collapsed, we find it unacceptable to not hold them accountable & instead discuss election wins & losses.
— Randeep Singh Surjewala (@rssurjewala) May 1, 2021
We @INCIndia have decided to withdraw our spokespersons from election debates.
1/2
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
