Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો માટે ટીવી ડિબેટમાં ભાગ નહિ લે કોંગ્રેસ, આ કારણે લીધો નિર્ણય

કોંગ્રેસ પાર્ટીએ મતગણતરી દરમિયાન કોઈ પણ ચેનલ પર ડિબેટ પેનલ પર પોતાની પાર્ટીના પ્રવકતાને જવાની અનુમિત આપી નથી. જાણો કારણ.

નવી દિલ્લીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવા શરૂ થઈ ગયા છે. સવારથી જ ટીવી ચેનલો પર રુઝાન બતાવવામાં આવી રહ્યા છે અને આ દરમિયાન અલગ અલગ પાર્ટીના પ્રવકતા ડિબેટ પેનલ પર બેઠેલા દેખાઈ રહ્યા છે પરંતુ કોંગ્રેસ પાર્ટીએ મતગણતરી દરમિયાન કોઈ પણ ચેનલ પર ડિબેટ પેનલ પર પોતાની પાર્ટીના પ્રવકતાને જવાની અનુમિત આપી નથી. પાર્ટી તરફથી આ નિર્ણય મતગણતરીના એક દિવસ પહેલા જ લેવામાં આવ્યો હતો.

randeep surjewala

કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને આ માહિતી આપી કે દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિને જોતા પાર્ટીના પ્રવકતા ચૂંટણી પરિણામો આવ્યા બાદ જ ટીવી ડિબેટમાં શામેલ થશે. રણદીપ સુરજેવાલાએ આગળ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ એ નક્કી કર્યુ છે કે મતગણતરી દરમિયાન અમારી પાર્ટીના કોઈ પ્રવકતા કોઈ ટીવી ડિબેટમાં શામેલ નહિ થાય. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધીને કહ્યુ કે આ મુશ્કેલ સમયમાં જ્યારે રાષ્ટ્ર એક અભૂતપૂર્વ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે તો કેન્દ્રની મોદી સરકાર નેતૃત્વ સંભાળવામાં નિષ્ફળ ગઈ છે અને એ અમને સ્વીકાર્ય નથી.

અમે મીડિયાના સવાલો માટે ઉપલબ્ધ રહીશુઃ સુરજેવાલા

સુરજેવાલાએ આગળ કહ્યુ કે મીડિયાના સવાલો માટે ઉપલબ્ધ રહીશુ, બની શકે કે અમે જીતી જઈએ કે હારી જઈએ પરંતુ આવા સમયમાં કે જ્યારે લોકોને ઑક્સિજન, હોસ્પિટલોમાં બેડ, દવાઓ અને વેંટિલેટરની કમી થઈ રહી છે ત્યારે અમારી ફરજ છે કે તેમની સાથે ઉભા રહીએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X