For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો માટે ટીવી ડિબેટમાં ભાગ નહિ લે કોંગ્રેસ, આ કારણે લીધો નિર્ણય

કોંગ્રેસ પાર્ટીએ મતગણતરી દરમિયાન કોઈ પણ ચેનલ પર ડિબેટ પેનલ પર પોતાની પાર્ટીના પ્રવકતાને જવાની અનુમિત આપી નથી. જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવા શરૂ થઈ ગયા છે. સવારથી જ ટીવી ચેનલો પર રુઝાન બતાવવામાં આવી રહ્યા છે અને આ દરમિયાન અલગ અલગ પાર્ટીના પ્રવકતા ડિબેટ પેનલ પર બેઠેલા દેખાઈ રહ્યા છે પરંતુ કોંગ્રેસ પાર્ટીએ મતગણતરી દરમિયાન કોઈ પણ ચેનલ પર ડિબેટ પેનલ પર પોતાની પાર્ટીના પ્રવકતાને જવાની અનુમિત આપી નથી. પાર્ટી તરફથી આ નિર્ણય મતગણતરીના એક દિવસ પહેલા જ લેવામાં આવ્યો હતો.

randeep surjewala

કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને આ માહિતી આપી કે દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિને જોતા પાર્ટીના પ્રવકતા ચૂંટણી પરિણામો આવ્યા બાદ જ ટીવી ડિબેટમાં શામેલ થશે. રણદીપ સુરજેવાલાએ આગળ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ એ નક્કી કર્યુ છે કે મતગણતરી દરમિયાન અમારી પાર્ટીના કોઈ પ્રવકતા કોઈ ટીવી ડિબેટમાં શામેલ નહિ થાય. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધીને કહ્યુ કે આ મુશ્કેલ સમયમાં જ્યારે રાષ્ટ્ર એક અભૂતપૂર્વ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે તો કેન્દ્રની મોદી સરકાર નેતૃત્વ સંભાળવામાં નિષ્ફળ ગઈ છે અને એ અમને સ્વીકાર્ય નથી.

Kerala results: પલક્કડ સીટથી ભાજપના મેટ્રોમેન ઈ શ્રીધરન આગળKerala results: પલક્કડ સીટથી ભાજપના મેટ્રોમેન ઈ શ્રીધરન આગળ

અમે મીડિયાના સવાલો માટે ઉપલબ્ધ રહીશુઃ સુરજેવાલા

સુરજેવાલાએ આગળ કહ્યુ કે મીડિયાના સવાલો માટે ઉપલબ્ધ રહીશુ, બની શકે કે અમે જીતી જઈએ કે હારી જઈએ પરંતુ આવા સમયમાં કે જ્યારે લોકોને ઑક્સિજન, હોસ્પિટલોમાં બેડ, દવાઓ અને વેંટિલેટરની કમી થઈ રહી છે ત્યારે અમારી ફરજ છે કે તેમની સાથે ઉભા રહીએ.

English summary
Congress to not participate in tv debates on election result day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X