For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢમાં ફરી શરૂ થશે પરિવર્તન યાત્રા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

congress-flag
રાયપુર, 3 જૂન: કોંગ્રેસના છત્તીસગઢ પ્રભારી બી કે હરિપ્રસાદે રવિવારે કહ્યું હતું કે રાજ્યમાં પરિવર્તન યાત્રા તે સ્થળેથી શરૂ થશે જ્યાં નક્સલી હુમલાના કારણે અવરોધ ઉભો થયો હતી. આ સાથે જ પ્રદેશભરમાં શોક સભાઓ આયોજીત કરવામાં આવશે.

હરિપ્રસાદે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક બાદ આ જાહેરાત કરી હતી. તેમને કહ્યું હતું કે રાજ્યમાં બધા જિલ્લા મુખ્યાલયોમાં 6 જૂનના રોજ શોક સભાઓ આયોજીત કરવામાં આવશે. પ્રખંડ સ્તર પર શોક સભાઓ 7 જૂનના રોજ આયોજીત કરવામાં આવશે. તેમને કહ્યું હતું કે સંપૂર્ણ ઉત્સાહ સાથે ફરી પરિવર્તન યાત્રા નિકળશે.

ભાજપને આડે હાથ લેતાં તેમને કહ્યું હતું કે આ દુખદ ઘટના પર તે ગંદુ રાજકારણ રમી રહી છે. તેમને એ પણ કહ્યું હતુ6 કે બસ્તરના કેટલાક વિભાગોમાં શોકસભા થશે નહી. એક પ્રશ્નના જવાબમાં તેમને કહ્યું હતું કે પરિવર્તન યાત્રાની તારીખની જાહેરાત બાદમાં કરવામાં આવશે. બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદના નામ પર કોઇ ચર્ચા થઇ નથી. હરિપ્રસાદે કહ્યું હતું કે આ મુદ્દે હાઇકમાન્ડ બાદમાં નિર્ણય લેશે.

English summary
Unfazed by the dastardly attack by Maoists, Opposition Congress in Chhattisgarh will soon resume its 'parivartan yatra' from Keslur village near Jiram Ghati, the spot where its convoy was ambushed on May 25.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X