For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લતાના કયા ભાઇ સામે અકળાઇ કોંગ્રેસ?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 જાન્યુઆરીઃ કોકિલ કંઠી લતા મંગેશકરના એક ભાઇ છે, કદાચ તેમનાથી આપ સૌ પરિચિત હશો. હૃદયનાથ મંગેશકર, પરંતુ આજકાલ એ સમાચાર ઘણા ચર્ચામાં છે કે લતા મંગેશકરના ભાઇ સાથે વાંકુ પડ્યું છે. હજું સુધી એવા સમાચાર ક્યારેય આવ્યા નથી કે દેશની ટોચની રાજકિય પાર્ટી કોંગ્રેસને લતા મંગેશકરના ભાઇ સાથે કોઇ વાંધો પડ્યો હોય અને ભવિષ્યમાં પણ તેમની સાથે કોઇ વાંધો કદાચ નહીં પડે, ત્યારે અન્ય એવા કયા ભાઇ છે કે જેમના નામ માત્રથી કોંગ્રેસ અકળાઇ ઉઠે છે, તો તમને જણાવી દઇએ કે એ અન્ય કોઇ નહીં પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપા પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી છે. લતા મંગેશકરે જ્યારથી નરેન્દ્ર મોદીને પોતાના ભાઇ ગણાવ્યા છે, ત્યારથી કોંગ્રેસ અકળાઇ ઉઠી છે. લતાજી દ્વારા જ્યારે પણ મોદીની વખાણ કરવામાં આવે છે, ત્યારે કોંગ્રેસ ટીકાત્મક અવસ્થામાં આવી જાય છે અને લતાજીને સલાહ આપવા લાગે છે.

lata-mangeshkar
ગયા વર્ષે નવેમ્બર માસમાં પૂણેમાં એક કાર્યક્રમ દરમિયાન લતાજીએ કહ્યું હતું કે નરેન્દ્રભાઇ મારા ભાઇ જેવા છે, જેવી રીતે તમે બધા ઇચ્છો છો કે તેઓ વડાપ્રધાન બને. હું પણ પ્રાર્થના કરુ છું કે તેઓ દેશના વડાપ્રધાન બને. લતાજીના આ નિવેદન પરથી મહારાષ્ટ્ર કોંગ્રેસ ભડકી હતી. મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ જનાર્દન ચાંદુરકરે આપત્તિ વ્યક્ત કરતા લતાજી પાસેથી ભારત રત્ન પરત લઇ લેવાની માંગણી કરી નાંખી હતી. મંગળવારે ફરી એકવાર કોંગ્રેસ લતાજીના નિવેદનથી નારાજ થઇ ગઇ. ચીન સાથે થયેલા યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય જવાનોની યાદમાં 1963માં ગાવામાં આવેલા ગીત ‘એ મેરે વતન કે લોગો...'ની સ્વર્ણ જંયતિ સમારોહ મુંબઇમાં મનાવવામાં આવી. જેમાં આ ગીતને કંઠ આપનાર જાણિતી ગાયિકા લતા મંગેશકરને નરેન્દ્ર મોદીએ સન્માનિત કર્યા. લતાજીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી મારા ભાઇ જેવા છે. તેમના હસ્તે સન્માન મેળવીને હું ખુશ છુ. આ વખતે લતાજી સામે નારજગી કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જાહેર કરી.

સિંઘવીએ કહ્યું કે, લતાજી તેમની પ્રસિદ્ધિનો ઉપયોગ રાજકારણમાં ના કરે. લતાજી દેશના આઇકોન છે. અમારા બધા માટે એ ગર્વની વાત છે. લતાજીના અવાજના પ્રશંસક આખા દેશમાં ફેલાયેલા છે. તે એક આઇકોન તરીકે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેવામાં તેમણે ધ્યાન રાખવું જોઇએ કે કોઇ તેમનો રાજકિય ઉપયોગ તો નથી કરી રહ્યું ને. તેમને સુનિશ્ચિત કરવું જોઇએ કે તેમની આ પ્રસિદ્ધિનો કોઇ દુરુપ્યોગ ના કરે.

English summary
Lata Mangeshkar should guard against anyone "misusing" her iconic status for drawing political mileage, Congress said today a day after the legendary singer shared a dais with Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X