સોનિયા ગાંધીની આગેવાનીમાં બિહાર વિધાનસભા ચૂંટણી લડશે કોંગ્રેસ
સોનિયા ગાંધીના કાર્યકાળને એક વર્ષ માટે વધારવા માટે પણ વિચાર શરૂ થઈ ગયો છે.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીના રાજીનામાથી લઈને આજ સુધી પાર્ટીની કમાન સોનિયા ગાંધી સંભાળી રહી છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે પરંતુ પાર્ટીની કમાન સંભાળવા માટે હજુ કોઈ ભાવે ઉમેદવાર મળ્યો નથી. આ દરમિયાન ઘણા કોંગ્રેસ નેતાઓએ માંગ ઉઠાવી કે રાહુલ ગાંધીએ ફરીથી પદ સંભાળવુ જોઈએ પરંતુ તેમણે આના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. એવામાં સોનિયા ગાંધીના કાર્યકાળને એક વર્ષ માટે વધારવા માટે પણ વિચાર શરૂ થઈ ગયો છે.

માહિતી અનુસાર 10 ઓગસ્ટે પાર્ટીના અંતરિમ પ્રમુખ તરીકે એક વર્ષ પૂરુ કરનાર સોનિયા ગાંધીના કાર્યકાળનો વિસ્તાર કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટી(સીડબ્લ્યુસી) જલ્દી બેઠક કરશે. કોંગ્રેસના એક પદાધિકારીએ કહ્યુ કે પાર્ટીના બંધારણ અનુસાર વિસ્તાર માટે એક બેઠકની જરૂર હશે કારણકે પાર્ટીના એક નિયમિત અધ્યક્ષની ચૂંટણી બાકી છે. આ ઉપરાંત બેઠક માટે કરવામાં આવેલ નિર્ણયની માહિતી ચૂંટણી પંચને પણ આપવી જરૂરી છે.
અધિકારીએ જણાવ્યુ કે કોરોના વાયરસના કારણે 24 માર્ચથી લાગુ લૉકડાઉનના કારણે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાને રદ કરી દેવામાં આવી. સોનિયા ગાંધીની નિયુકતિના તરત બાદથી હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થઈ અને ત્યારબાદ ઝારખંડ અને દિલ્લી ચૂંટણીના કારણે પણ પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી માટે સમય ન મળી શક્યો. આ દરમિયાન પાર્ટી હવે બિહાર વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારીમાં લાગી ગઈ છે. તમને જણાવી દઈએ કે સીડબ્લ્યુસીએ ગયા વર્ષે 10 ઓગસ્ટે રાહુલ ગાંધી દ્વારા પોતાનુ રાજીનામુ પાછુ લેવાનો ઈનકાર કર્યા બાદ સોનિયા ગાંધીને પાર્ટીના અંતરિમ અધ્યક્ષ તરીકે નામિત કર્યા હતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
