અધ્યક્ષની ચૂંટણીમા નહિ રહે ગાંધી પરિવાર, સોનિયા સાથે અમેરિકા જશે રાહુલ
કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ છેવટે રાજીનામુ આપી દીધુ ત્યારબાદ અંદર નવા અધ્યક્ષ માટે મનોમંથન ચાલી રહ્યુ છે
કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ છેવટે રાજીનામુ આપી દીધુ ત્યારબાદ અંદર નવા અધ્યક્ષ માટે મનોમંથન ચાલી રહ્યુ છે. બુધવારે રાતે રાહુલ ગાંધીના એલાન બાદ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ, મુકુલ વાસનિક, અહેમદ પટેલ, એ કે એંટની, અશોક ગેહલોતે પાર્ટીના અધ્યક્ષ પદે માટે બેઠક કરી. વાસ્તવમાં રાહુલ ગાંધીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ એ માટે કોશિશ થઈ રહી છે કે પાર્ટીની અંદર ગાંધી પરિવારના નેતૃત્વ વિના કોઈ પણ પ્રકારનું સંકટ ઉભુ ના થાય.
આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના, દેહરાદૂનમાં જાહેર કરાયુ રેડ એલર્ટ
અમેરિકા જઈ શકે છે રાહુલ-સોનિયા
માનવામાં આવી રહ્યુ છે કે રાહુલ ગાંધી પોતાની મા સોનિયા ગાંધી સાથે અમેરિકા જઈ શકે છે. એવામાં બંને નેતાઓના દેશથી બહાર ગયા બાદ પાર્ટીની અંદર ગાંધી પરિવારનું નેતૃત્વ નહિ રહે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી પહેલેથી જ અમેરિકામાં છે. એવામાં ગાંધી પરિવાર દેશમાં ન રહેવાના કારણે પાર્ટીની અંદર નેતૃત્વનું સંકટ ઉત્પન્ન થઈ શકે છે. આ જ કારણ છે કે પાર્ટીની અંદરની સ્થિતિને ઉકેલવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની ઈમરજન્સી બેઠક થઈ શકે છે જેમાં ગાંધી પરિવારના કોઈ સભ્ય હાજર નહિ રહે.
કોંગ્રેસ પાસે સીમિત વિકલ્પ
રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોંગ્રેસ પાસે વિકલ્પોની ઉણપ છે. માનવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આગલા સપ્તાહે થઈ શકે છે જેમાં રાહુલ ગાંધીના રાજીનામાને સ્વીકાર કે અસ્વીકાર કરવામાં આવી શકે છે. એવામાં જો રાહુલ ગાંધીના રાજીનામાને સ્વીકારવામાં નહિ આવે તો વચગાળાના અધ્યક્ષના નામ પર નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાના વિશે અટકળો તીવ્ર છે. સમાચારોની માનીએ તો તેમને પાર્ટીની કમાન સોંપવામાં આવી શકે છે. જો કે તેમણે આ વાતનો ઈનકાર કરીને રાહુલ ગાંધીને પોતાના નેતા ગણાવ્યા છે.
મોતીલાલ વોરાનું નામ સૌથી આગળ
મોતીલાલ વોરાએ કહ્યુ કે અમે એક વાર ફરીથી રાહુલ ગાંધીને અપીલ કરીશુ કે તે પાર્ટીના અધ્યક્ષ પદ બની રહે. રાહુલ અમારા નેતા છે અને હંમેશા રહેશે. અટકળો લગાવવામાં આવી રહી હતી કે મુકુલ વાસનિકને રાજ્યસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવી શકે છે. જો કે હજુ સુધી આના પર પાર્ટી તરફથી અધિકૃત રીતે કંઈ કહેવામાં આવ્યુ નથી. જે રીતે રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યુ છે તેના પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ અસંમતિ દર્શાવી છે. તેમણે કહ્યુ કે તેમણે પાર્ટીનું નેતૃત્વ ચાલુ રાખવુ જોઈએ.