Constitution Day 2021 : PM મોદી બંધારણ દિવસની ઉજવણીમાં લેશે ભાગ
વર્ષ 1949માં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને અપનાવવામાં આવ્યું હતું, તેની યાદમાં 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Constitution Day 2021 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે સંસદ અને વિજ્ઞાન ભવનમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

વર્ષ 1949માં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને અપનાવવામાં આવ્યું હતું, તેની યાદમાં 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના મહત્વને યોગ્ય માન્યતા આપવાના વડાપ્રધાનના વિઝનના આધારે વર્ષ 2015માં ઐતિહાસિક તારીખે બંધારણ દિવસની ઉજવણી શરૂ થઈ હતી.
વડાપ્રધાન કાર્યાલય (PMO) એ એક પ્રેસ રિલિઝમાં જણાવ્યું હતું કે, આ વિઝનના મૂળ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2010માં આયોજિત 'સંવિધાન ગૌરવ યાત્રા'માં પણ શોધી શકાય છે."
સંસદના સેન્ટ્રલ હોલમાં બંધારણ દિવસ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાડુ, વડાપ્રધાન અને લોકસભા સ્પીકર ઓમ બિરલા સંબોધિત કરશે.
પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન વિજ્ઞાન ભવન ખાતે સુપ્રીમ કોર્ટ દ્વારા આયોજિત બે દિવસીય બંધારણ દિવસની ઉજવણીનું પણ ઉદ્ઘાટન કરશે.
"સુપ્રિમ કોર્ટના તમામ ન્યાયાધીશો, તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને સૌથી વરિષ્ઠ ન્યાયાધીશો, ભારતના સોલિસિટર જનરલ અને કાનૂની સમુદાયના અન્ય સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન પણ પ્રતિષ્ઠિત સભાને સંબોધિત કરશે"
ઉલ્લેખનીય છે કે, બંધારણ દિવસ જેને 'સંવિધાન દિવસ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આપણા દેશમાં દર વર્ષે 26મી નવેમ્બરના રોજ ભારતના બંધારણને અપનાવવાની યાદમાં ઉજવવામાં આવે છે. 26મી નવેમ્બર 1949ના રોજ, ભારતની બંધારણ સભાએ ભારતનું બંધારણ અપનાવ્યું, જે 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું હતું.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત











Click it and Unblock the Notifications
