આજે મનાવવામાં આવશે બંધારણ દિવસ, રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદી ઘણા કાર્યક્રમોમાં થશે શામેલ
દેશભરમાં આજે શુક્રવારે બંધારણ દિવસ મનાવવામાં આવશે.
નવી દિલ્લીઃ દેશભરમાં આજે શુક્રવારે બંધારણ દિવસ મનાવવામાં આવશે. ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ મનાવવામાં આવે છે. દેશનો આ 71મો બંધારણ દિવસ છે. બંધારણ દિવસ સમારંભમાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના કેન્દ્રીય હૉલમાં એક પ્રસ્તાવના વાંચશે અને સમારંભનુ નેતૃત્વ કરશે. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વિશિષ્ટ સભાને સંબોધિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી નવી દિલ્લીના વિજ્ઞાન ભવનમાં બે દિવસીય બંધારણ દિવસ સમારંભનુ પણ ઉદઘાટન કરશે અને સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે. સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એક ભાષણમાં રાષ્ટ્રને સંબોધિત કરશે ત્યારબાદ લોકો બંધારણની પ્રસ્તાવનાના વાચન સત્રમાં તેમની સાથે લાઈવ થશે.

પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ) દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ રાષ્ટ્રપતિ બંધારણ સભા વાદ-વિવાદનુ એક ડિજિટલ સંસ્કરણ, બંધારણની એક સુલેખિત પ્રતિનુ એક ઑનલાઈન સંસ્કરણ અને સાથે જ રૂપરેખાને નિર્ધારિત કરતા દસ્તાવેજનુ એક અદ્યતન સંસ્કરણ જાહેર કરશે. દેશની મૌલિક રાજકીય સંહિતામાં આજ સુધીના બધા સુધારા શામેલ હશે.
કેન્દ્ર સરકાર આઝાદીનો અમૃત મહોત્સવના એક ભાગ તરીકે બંધારણ દિવસ મનાવી રહી છે. સરકારના જણાવ્યા મુજબ આ ઉજવણી દેશને બ્રિટિશ સામ્રાજ્યથી આઝાદી મળવાના 75 વર્ષ થવાનુ પ્રતીક છે. સંસદીય કાર્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ એક અધિકૃત જાહેરાત અનુસાર સંસદમાં આયોજિત કાર્યક્રમને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ સંબોધિત કરશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
