વિવાદિત IAS પૂજા ખેડકરને ટ્રેનિંગ રદ કરી મસૂરી એકેડમીમાં મોકલી દેવાઈ, જાણો હવે શું કાર્યવાહી થશે?
ખોટા સર્ટિફિકેટ પર આઈએએસ બનવાનો આરોપ લાગ્યો છે તે પૂજા ખેડકર પર મોટી કાર્યવાહી કરાઈ છે. હવે તેની ટ્રેનિંગ રોકીને પરત એકેડમી મોકલી દેવાઈ છે.
કેન્દ્ર સરકારે ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરની ટ્રેનિંગ બંધ કરી દીધી છે. મહારાષ્ટ્ર કેડરે તેણીને મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં પરત મોકલી દીધી છે, જ્યાં પૂજા ખેડકરને 23 જુલાઈ સુધીમાં તેનો રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ દરમિયાન પૂજા ખેડકર સાથે જોડાયેલા વધુ બે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક વાત એ છે કે પૂજા ખેડકરની મહારાષ્ટ્ર કેડર જ રદ કરી દેવામાં આવી છે.
સૂત્રોના હવાલાથી એક સમાચારમાં આ દાવો કરવામાં આવ્યો છે. હોમ કેડર મેળવવું એ યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ભાગ લેનારાઓ માટે સૌથી મોટી ખુશી છે.
બીજા ચોંકાવનારા સમાચાર એ છે કે પૂજા ખેડકરે પુણેના કલેક્ટર સુહાસ દીવાસ સામે ઉત્પીડનની ફરિયાદ નોંધાવી છે. પુણેના કલેક્ટર ડૉ. સુહાસ દીવસેએ મહારાષ્ટ્રના મુખ્ય સચિવને ફરિયાદ કરી હતી કે પૂજા ખેડકર તાલીમમાં VIP સુવિધાઓની માગણી કરી રહી છે.
પુણે કલેક્ટરની ફરિયાદ પછી પૂજા ખેડકરને તેની તાલીમ પૂર્ણ થતાં પહેલાં વાશિમમાં બદલી કરવામાં આવી હતી અને હવે તેને વાશિમથી LBSNAAમાં પરત બોલાવવામાં આવી છે. તેને મહારાષ્ટ્ર સરકારના જિલ્લા પ્રશિક્ષણ કાર્યક્રમમાંથી મુક્ત કરવામાં આવી છે.
અધિક મુખ્ય સચિવ (પી) નીતિન ગદ્રેના પત્રમાં લખ્યુ છે કે, LBSNAA મસૂરીએ તમારા જિલ્લા પ્રશિક્ષણ કાર્યક્રમને સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે અને આગળની જરૂરી કાર્યવાહી માટે તમને તરત જ પાછા બોલાવાયા છે.
ઓડી કાર, કેબિન અને સ્ટાફની માંગણી ઉપરાંત પૂજા ખેડકર પર IASમાં પસંદગી માટે વિકલાંગતા અને OBC અને ક્રીમી લેયરના નકલી પ્રમાણપત્રો સબમિટ કરવાનો પણ આરોપ છે. હવે તેમની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પૂજા ખેડકરે LBSNAAમાં રહેવું પડશે.
પુણે પોલીસ મહારાષ્ટ્ર કેડરમાં 2023 બેચની IAS પૂજા ખેડકરના મેડિકલ સર્ટિફિકેટની તપાસ કરશે. પૂજા ખેડકરે વિવિધ વિકલાંગતા કેટેગરીના પ્રમાણપત્રો સબમિટ કર્યા છે. જે ડોક્ટરોએ તેમને સર્ટિફિકેટ આપ્યા તેની પોલીસ પૂછપરછ કરશે.












Click it and Unblock the Notifications
