કેરળમાં વિવાદાસ્પદ સંશોધન પોલીસ એક્ટ લાગૂ નહિ થાય
કેરળમાં વિવાદાસ્પદ સંશોધન પોલીસ એક્ટ લાગૂ નહિ થાય
કોચ્ચિઃ કેરળ પોલીસ અધિનિયમ (Kerala Police Act)માં કરેલા સંશોધનને લઈ સતત વિરોધનો સામનો કરી રહેલ એલડીએફ સરકારે પોતાનો ફેસલો બદલી નાખ્યો. જણાવી દઈએ કે મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું કે રાજ્યમાં હાલ '118-એ કેરળ પોલીસ અધિનિયમ સંશોધન' લાગૂ નહિ કરાય. મુખ્યમંત્રીએ કહ્યું કે આ એક્ટ સામે થઈ રહેલા વિરોધ બાદ અમે આ ફેસલો લીધો છે.
LDFના સમર્થક પણ એક્ટનો વિરોધ કરી રહ્યા છે
મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે, 'આ અધિનિયમમાં સંશોધનની ઘોષણા જ્યારથી કરવામાં આવી છે, ત્યારથી અલગ અલગ સ્વર જોવા મળી રહ્યા છે. આ અધિનિયમને લઈ એલડીએફનું સમર્થન કરતા લોકો અને લોકતંત્રની રક્ષા માટે ઉભેલા લોકોએ પણ વિરોધ નોંધાવ્યો ત્યારે આ કાનૂન લાગૂ કરવાનો કોઈ વિચાર નથી.'
Cyclone Nivar: તમિલનાડુ-પુડુચેરીમાં ચક્રવાતી તોફાનની સંભાવના, ભારે વરસાદનુ એલર્ટ
કેરળ સરકારે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો
જણાવી દઈએ કે કેરળ પોલીસ એક્ટમાં કરાયેલા સંશોધનને લઈ કેરળ સરકાર સતત વિરોધનો સામનો કરી રહી હતી. રવિવારે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે પણ આ એક્ટને લઈ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે ટ્વીટ કરી કહ્યું હતું, 'હું એલડીએફ સરકાર દ્વારા બનાવેલ આ ફેસલાથી બહુ ચકિત છું કે સોશિયલ મીડિયા પર તથાકથિત અપમાનજનક પોસ્ટ નાખનારને 5 વર્ષ સુધી સજા આપવામાં આવી શકે છે.'