કોરોનાએ વધાર્યું ટેંશન, પીએમ મોદીએ કરી હાઇ લેવલ મીટિંગ
દેશમાં રવિવારે સતત બીજા દિવસે કોરોના વાયરસના દોઢ લાખથી વધુ કેસ નોંધાયા હતા. તેને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વની બેઠક યોજી રહ્યા છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી, ગૃહ મંત્રી, આરોગ્ય/ગૃહ મંત્રાલયના સચિવો, અધિકારીઓ વગેરે સ
દેશમાં રવિવારે સતત બીજા દિવસે કોરોના વાયરસના દોઢ લાખથી વધુ કેસ નોંધાયા હતા. તેને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વની બેઠક યોજી રહ્યા છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી, ગૃહ મંત્રી, આરોગ્ય/ગૃહ મંત્રાલયના સચિવો, અધિકારીઓ વગેરે સામેલ છે. પીએમની આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસ 27,553 થી 1.6 લાખ સુધી પહોંચી ગયા છે. છેલ્લા બે મોજામાં પણ આટલો ઉછાળો જોવા મળ્યો ન હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,59,632 કેસ નોંધાયા છે, જ્યારે 327 લોકોના મોત થયા છે. આ સિવાય 40863 લોકો આ વાયરસથી સાજા થયા છે. આ નવા આંકડા સાથે, દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 3.55 કરોડ થઈ ગઈ છે. જેમાંથી 3,44,53,603 સાજા થઈ ગયા છે, જ્યારે 4,83,790 લોકોએ આ વાયરસને કારણે જીવ ગુમાવ્યો છે. જોકે કોરોનાને હરાવવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, જેનો આંકડો હવે 151.58 કરોડ સુધી પહોંચી ગયો છે.
આજની બેઠકની ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ 26 નવેમ્બર અને 22 ડિસેમ્બરે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. બન્ને મીટિંગમાં પ્રધાનમંત્રીએ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે દવાઓ અને ઓક્સિજનની ઉપલબ્ધતા અંગે પણ નિર્દેશ આપ્યો હતો. બેઠકમાં પીએમ મોદીએ રિમોટ એરિયામા વેક્સિન અને દવાના સપ્લાય માટે આઈટી ટૂલ્સનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનું જણાવ્યું હતું.
Delhi: Prime Minister Narendra Modi chairs a meeting to review the COVID-19 situation in the country, through video conference pic.twitter.com/EY5u7LAaC3
— ANI (@ANI) January 9, 2022
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
