કોરોના વેક્સીનેશન અંગેના સવાલોના આરોગ્ય મંત્રીએ આપ્યા જવાબ, 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કરી અપીલ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રસીકરણ સાથે જોડાયેલ બધા સવાલોના જવાબ ટ્વિટ દ્વારા આપ્યા છે.
નવી દિલ્લીઃ આખા દેશમાં આજે(1 એપ્રિલ)થી કોરોના વેક્સીનેશનનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. રસીકરણના ત્રીજા તબક્કા હેઠળ 45 વર્ષની વયથી વધુ ઉંમરના લોકોને કોરોનાનો ડોઝ આપવામાં આવશે. 1 જાન્યુઆરી, 1977 સુધી જન્મેલા બધા લોકો કોવિડ-19 વેક્સીન મૂકાવી શકે છે. હવે વેક્સીન લેતા પહેલા સર્ટિફિકેટ બનાવવાની પણ જરૂર નહિ રહે. વળી, લોકોને હજુ પણ વેક્સીનેશનની પ્રોસેસ માટે અમુક સવાલ હશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રસીકરણ સાથે જોડાયેલ બધા સવાલોના જવાબ ટ્વિટ દ્વારા આપ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યુ કે ક્યારે, ક્યાં અને કેવી રીતે 45થી વધુ ઉંમરના લોકોનુ વેક્સીનેશન થશે. મંત્રીએ રસીકરણ સાથે જોડાયેલી માહિતી શેર કરીને જણાવ્યુ કે સૌથી પહેલા વેક્સીન માટે https://www.cowin.gov.in પર રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. ત્યારબાદ વ્યક્તિ પાસે નજીકના રસીકરણ કેન્દ્ર પર ઓળખ કરવાની રહેશે એટલે કે અહીં તમને પોતાના ઘરની પાસે સરળતાથી રસી ઉપલબ્ધ થઈ શકશે. પછી આધાર/મોબાઈલ નંબર/અન્ય આઈડીથી રજિસ્ટર કરાવવાનુ રહેશે. પછી રજિસ્ટ્રેશન થયા બાદ વેક્સીનેશન માટે સેન્ટર પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે.
अप्रैल 1 से 45 वर्ष से ऊपर के सभी नागरिकों के लिए सुरक्षा चक्रhttps://t.co/kAnuBnYrBn पर रजिस्ट्रेशन
— Dr Harsh Vardhan (@drharshvardhan) April 1, 2021
🔶 नजदीकी टीकाकरण केंद्र की पहचान करें
🔷 आधार/मोबाइल नंबर/अन्य आईडी से रजिस्टर करें
🔷 वैक्सीनेशन के लिए वाक-इन केंद्र पर जाकर रजिस्ट्रेशन कराएं pic.twitter.com/vsVvLcVYHI
આ ઉપરાંત તેમણે એ પણ માહિતી શેર કરી છે કે તમે પોતાના આધાર કાર્ડના સરનામાથી અલગ કેન્દ્ર પર પણ વેક્સીન લઈ શકો છો. વળી, એ જરૂરી નથી કે જ્યાં પહેલો ડોઝ લીધો હોય, બીજો પણ એ જ કેન્દ્ર પર લેવામાં આવે. કોરોના વેક્સીન ક્યાંય પણ લઈ શકાય છે. આ ઉપરાંત તમે રસીકરણની ડેટમાં ફેરફાર કે તેને રદ પણ કરી શકો છો.
કોરોના વેક્સીનના ત્રીજા તબક્કા હેઠલ દેશની મોટી વસ્તીને જલ્દીમાં જલ્દી રસી લગાવવાનો સરકારનો હેતુ છે. આ પહેલા રસીકરણના બે તબક્કા હેઠલ અત્યાર સુધી દેશના 6 કરોડ 51 લાખથી વધુ લોકોને વેક્સીન લગાવવામાં આવી ચૂકી છે.
45 वर्ष से ऊपर के सभी नागरिकों के लिए सुरक्षा चक्र
— Dr Harsh Vardhan (@drharshvardhan) April 1, 2021
🔶 आप अपने आधार कार्ड के पते से अलग केंद्र पर वैक्सीन ले सकते हैं
🔷 ज़रूरी नहीं है जहाँ पहला टीका लिया, दूसरा टीका भी उसी केंद्र पर लिया जाए, कहीं भी ले सकते हैं
🔶आप टीकाकरण की तिथि में परिवर्तन या रद्द करा सकते हैं pic.twitter.com/kO4yUHOFL5
-
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા










Click it and Unblock the Notifications
