કોરોના વેક્સીનેશન અંગેના સવાલોના આરોગ્ય મંત્રીએ આપ્યા જવાબ, 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કરી અપીલ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રસીકરણ સાથે જોડાયેલ બધા સવાલોના જવાબ ટ્વિટ દ્વારા આપ્યા છે.
નવી દિલ્લીઃ આખા દેશમાં આજે(1 એપ્રિલ)થી કોરોના વેક્સીનેશનનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. રસીકરણના ત્રીજા તબક્કા હેઠળ 45 વર્ષની વયથી વધુ ઉંમરના લોકોને કોરોનાનો ડોઝ આપવામાં આવશે. 1 જાન્યુઆરી, 1977 સુધી જન્મેલા બધા લોકો કોવિડ-19 વેક્સીન મૂકાવી શકે છે. હવે વેક્સીન લેતા પહેલા સર્ટિફિકેટ બનાવવાની પણ જરૂર નહિ રહે. વળી, લોકોને હજુ પણ વેક્સીનેશનની પ્રોસેસ માટે અમુક સવાલ હશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રસીકરણ સાથે જોડાયેલ બધા સવાલોના જવાબ ટ્વિટ દ્વારા આપ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યુ કે ક્યારે, ક્યાં અને કેવી રીતે 45થી વધુ ઉંમરના લોકોનુ વેક્સીનેશન થશે. મંત્રીએ રસીકરણ સાથે જોડાયેલી માહિતી શેર કરીને જણાવ્યુ કે સૌથી પહેલા વેક્સીન માટે https://www.cowin.gov.in પર રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. ત્યારબાદ વ્યક્તિ પાસે નજીકના રસીકરણ કેન્દ્ર પર ઓળખ કરવાની રહેશે એટલે કે અહીં તમને પોતાના ઘરની પાસે સરળતાથી રસી ઉપલબ્ધ થઈ શકશે. પછી આધાર/મોબાઈલ નંબર/અન્ય આઈડીથી રજિસ્ટર કરાવવાનુ રહેશે. પછી રજિસ્ટ્રેશન થયા બાદ વેક્સીનેશન માટે સેન્ટર પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે.
अप्रैल 1 से 45 वर्ष से ऊपर के सभी नागरिकों के लिए सुरक्षा चक्रhttps://t.co/kAnuBnYrBn पर रजिस्ट्रेशन
— Dr Harsh Vardhan (@drharshvardhan) April 1, 2021
🔶 नजदीकी टीकाकरण केंद्र की पहचान करें
🔷 आधार/मोबाइल नंबर/अन्य आईडी से रजिस्टर करें
🔷 वैक्सीनेशन के लिए वाक-इन केंद्र पर जाकर रजिस्ट्रेशन कराएं pic.twitter.com/vsVvLcVYHI
આ ઉપરાંત તેમણે એ પણ માહિતી શેર કરી છે કે તમે પોતાના આધાર કાર્ડના સરનામાથી અલગ કેન્દ્ર પર પણ વેક્સીન લઈ શકો છો. વળી, એ જરૂરી નથી કે જ્યાં પહેલો ડોઝ લીધો હોય, બીજો પણ એ જ કેન્દ્ર પર લેવામાં આવે. કોરોના વેક્સીન ક્યાંય પણ લઈ શકાય છે. આ ઉપરાંત તમે રસીકરણની ડેટમાં ફેરફાર કે તેને રદ પણ કરી શકો છો.
કોરોના વેક્સીનના ત્રીજા તબક્કા હેઠલ દેશની મોટી વસ્તીને જલ્દીમાં જલ્દી રસી લગાવવાનો સરકારનો હેતુ છે. આ પહેલા રસીકરણના બે તબક્કા હેઠલ અત્યાર સુધી દેશના 6 કરોડ 51 લાખથી વધુ લોકોને વેક્સીન લગાવવામાં આવી ચૂકી છે.
45 वर्ष से ऊपर के सभी नागरिकों के लिए सुरक्षा चक्र
— Dr Harsh Vardhan (@drharshvardhan) April 1, 2021
🔶 आप अपने आधार कार्ड के पते से अलग केंद्र पर वैक्सीन ले सकते हैं
🔷 ज़रूरी नहीं है जहाँ पहला टीका लिया, दूसरा टीका भी उसी केंद्र पर लिया जाए, कहीं भी ले सकते हैं
🔶आप टीकाकरण की तिथि में परिवर्तन या रद्द करा सकते हैं pic.twitter.com/kO4yUHOFL5
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી







Click it and Unblock the Notifications
