Corona Virus : છેલ્લા 24 કલાકમાં 13,451 કેસ નોંધાયા, 585 લોકોના મોત!
કોવિડ-રસીકરણમાં આગળ હોવા છતાં ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ સંપૂર્ણપણે કાબૂમાં નથી આવ્યું. હાલ પણ દેશમાં 10 હજારથી વધુ નવા દર્દીઓ મળી રહ્યા છે.
નવી દિલ્હી : કોવિડ-રસીકરણમાં આગળ હોવા છતાં ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ સંપૂર્ણપણે કાબૂમાં નથી આવ્યું. હાલ પણ દેશમાં 10 હજારથી વધુ નવા દર્દીઓ મળી રહ્યા છે. મોટાભાગના દર્દીઓ કેરળમાંથી આવી રહ્યા છે. કેરળ એજ રાજ્ય છે જ્યાં દેશનો પ્રથમ કોરોના કેસ નોંધાયો હતો. લગભગ 2 વર્ષ પછી પણ કેરળ કોરોનાના સૌથી ખરાબ સંક્રમણનો સામનો કરી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, ગઈકાલે એકલા કેરળમાં કોરોનાને કારણે 90 લોકોના મોત થયા છે અને એક દિવસમાં 7,163 નવા કેસ નોંધાયા છે.
સમગ્ર દેશની વાત કરીએ તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં 13,451 નવા કેસ નોંધાયા છે અને 585 મૃત્યુ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 13,451 નવા દર્દીઓ મળી આવ્યા છે અને સાજા થયેલા લોકોની સંખ્યા 14,021 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,42,15,653 કેસ નોંધાયા છે. જેમાંથી 1,62,661 સક્રિય કેસ છે. બીજી તરફ કુલ રિકવરી 3,35,97,339 થઈ ગઈ છે. આ સિવાય કુલ મૃત્યુઆંક 4,55,653 પર પહોંચ્યો છે. આ ઉપરાંત દેશમાં કુલ રસીકરણ 1,03,53,25,577 પર પહોંચી ગયું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, સક્રિય કેસ 242 દિવસમાં સૌથી ઓછા છે. આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે એમ પણ કહ્યું હતું કે, સાંજે 7 વાગ્યા સુધી લોકોને 51 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જેના કારણે ભારતમાં કોરોના રસીકરણ 103 કરોડને વટાવી ગયું છે.
રાજ્ય
/
નવા
દર્દીઓ
/
કુલ
કેસ
/
મૃત્યુ
/
રસીકરણ
મહારાષ્ટ્ર
1,201-66,05,051-22,981-9.6
કરોડ
કેરળ
7,163-49,29,158-74,529-3.8Cr
કર્ણાટક
277-29,86,553-8,510-6.4Cr
તમિલનાડુ
1,090-26,97,418-12,540-5.7Cr
આંધ્ર
પ્રદેશ
415-20,64,287-4,655-5.1Cr
યુપી-4
17,10,101-22,899-12.7
કરોડ
પં.
બંગાળ
806-15,88,066-19081-7.3
કરોડ
દિલ્હી
41-14,39,671-25,091-2Cr