કોરોના વાઇરસ : ત્રીજી લહેરની પીક 1થી 15 જાન્યુઆરી વચ્ચે આવી શકે BBC TOP NEWS
કોરોના વાઇરસ : ત્રીજી લહેરની પીક 1થી 15 જાન્યુઆરી વચ્ચે આવી શકે BBC TOP NEWS
ભારતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમણના કેસ સતત એક લાખને પાર કરી રહ્યા છે. 8 જાન્યુઆરીએ દેશમાં કોરોના સંક્રમણના દોઢ લાખથી વધુ કેસ નોંધાયા હતા.
હિન્દી દૈનિક હિંદુસ્તાન સમાચાર અનુસાર, કોવિડ-19ના ફેલાવાને દર્શાવતા આર-ફેક્ટર અથવા આર-વેલ્યુ આ અઠવાડિયે ચાર નોંધવામાં આવ્યા છે. જે સંકેત આપે છે કે ચેપના ફેલાવાનો દર ઘણો ઊંચો છે.

આર-ફેક્ટર જણાવે છે કે ચેપગ્રસ્ત વ્યક્તિ કેટલા લોકોને ચેપ લગાવી શકે છે. જો આ ફેક્ટર ઘટીને એક થઈ જાય તો આ મહામારીનો અંત માનવામાં આવશે.
આઈઆઈટી મદ્રાસના પ્રારંભિક વિશ્લેષણમાં ત્રીજી લહેરની ટોચ 1થી 15 ફેબ્રુઆરીની વચ્ચે આવવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.
આઈઆઈટી મદ્રાસ દ્વારા કમ્પ્યુટેશનલ મૉડલિંગના પ્રારંભિક વિશ્લેષણના આધારે રાષ્ટ્રીય સ્તરે ગયા અઠવાડિયાનું આર-ફેક્ટર 2.9ની આસપાસ હતું. આ અઠવાડિયે આ સંખ્યા 4 નોંધાઈ છે.
અખબાર અનુસાર, દિલ્હીમાં આર-વેલ્યૂ 4.35, બિહારમાં 4.55, ઝારખંડમાં 5.0 અને ઉત્તરપ્રદેશમાં 3.32 છે.
- મુસલમાનવિરોધી ઉશ્કેરણીજનક ભાષણો આપનારા યતિ નરસિંહાનંદને હજુ જેલ કેમ નથી થઈ?
- પીએમ મોદીનો પંજાબના ફિરોઝપુરમાં કાફલો ફસાયો હતો ત્યાં પ્રત્યક્ષદર્શીઓએ શું-શું જોયું? ગ્રાઉન્ડ રિપોર્ટ
સાઉદી અરેબિયાનાં રાજકુમારી ત્રણ વર્ષ બાદ જેલમુક્ત

સાઉદી અરેબિયાનાં રાજકુમારી બસમા બિન્ત અને તેમનાં પુત્રીને લગભગ ત્રણ વર્ષના જેલવાસ બાદ આખરે મુક્ત કરવામાં આવ્યાં છે. તેમની મુક્તિ માટે અભિયાન ચલાવી રહેલા લોકોએ આ વાતની પુષ્ટિ કરી છે.
રાજકુમારી બસમા બિન્ત સઉદ સારવાર માટે સ્વિટ્ઝર્લૅન્ડ જવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે માર્ચ 2019માં તેમની અટકાયત કરાઈ હતી.
https://twitter.com/ALQST_En/status/1479767131407495171
તેમની ધરપકડ પાછળનું કોઈ કારણ આપવામાં આવ્યું નથી. તેમની અને તેમની પુત્રી સુહુદ સામે કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો ન હતો.
ઘણા લોકોનું અનુમાન હતું કે આ કદાચ માનવતાવાદી મુદ્દાઓ અને બંધારણીય સુધારા માટેના તેમના લોબીંગને કારણે આમ થયું હોઈ શકે.
તેમના ઘણા સમર્થકોનું કહેવું છે કે તે ભૂતપૂર્વ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન નાયેફ સાથેના તેમના નજીકના સંબંધોને કારણે તેમને જેલવાસ મળ્યો હતો. એવા અહેવાલો છે કે નાયેફ પણ નજરકેદ છે.
- ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ક્યારે વિધાનસભાની ચૂંટણી યોજાશે?
- કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ગુજરાત કેટલું તૈયાર?
ગુજરાત સરકારે 3 શહેરમાં 6 ટીપીને મંજૂરી આપી
https://www.youtube.com/watch?v=mCLmzm8DMdk
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પ્રમાણે, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એક પ્રાથમિક ટીપી અને બે ફાઇનલ ટીપી સ્કીમ, સુરતમાં એક પ્રાથમિક ટીપી સ્કીમ અને એક ફાઇનલ ટીપી સ્કીમ અને વડોદરામાં એક ડ્રાફ્ટ ટીપીને મંજૂરી આપી છે અને તેમાં 22.18 હેક્ટર જમીન છે.
મુખ્ય મંત્રીએ મંજૂરી આપેલી ત્રણ ફાઇનલ ટીપી સ્કીમમાં સુરતના સિંગણપોરની ટીપી સ્કીમ નંબર 26 અને અમદાવાદની સાણંદ વિસ્તારની ટીપી સ્કીમ નંબર 4-એ તેમજ હાથીજણ-રોપાડાની ટીપી સ્કીમ નંબર 94નો સમાવેશ થાય છે.
અમદાવાદમાં ઔડા હેઠળના ગોધાવી- મણિપુરને સમાવતી 55.47 હેક્ટર વિસ્તારની ટીપી સ્કીમ નંબર 429 અને સુરત મહાનગરપાલિકાની વાડોદની 15.83 હેક્ટર વિસ્તારની ટીપી સ્કીમ નંબર 71ને પ્રાથમિક ટીપી તરીકે માન્યતા આપવામાં આવી છે.
વડોદરાના ઉંડેરા-આંકોડિયાને સમાવતી 22.18 હેક્ટર વિસ્તારને સમાવતી ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 43ને મંજૂરી આપવામાં આવી છે.
https://www.youtube.com/watch?v=kQK9n6zKdHg
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












Click it and Unblock the Notifications
