કેન્દ્રની નવી ગાઈડલાઈન - કોરોના દર્દીના ખાંસવા, છીંકવા અને વાત કરવાથી ફેલાઈ રહ્યુ છે સંક્રમણ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કોરોના વાયરસ સાથે સંબંધિત પોતાની ગાઈડલાઈનમાં ફેરફાર કરીને નવા દિશા નિર્દેશ જારી કર્યા છે.
નવી દિલ્લીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કોરોના વાયરસ સાથે સંબંધિત પોતાની ગાઈડલાઈનમાં ફેરફાર કરીને નવા દિશા નિર્દેશ જારી કર્યા છે. કેન્દ્રની નવી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ છે કે સંક્રમિત વ્યક્તિના ખાંસવા, છીંકવા કે વાતચીત કરવાથી હવામાં ફેલાય છે, જેનાથી સંક્રમણ ફેલાય છે. ગયા વર્ષે જૂનમાં આરોગ્ય મંત્રાલયે કહ્યુ હતુ કે કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી લાગે છે. હવે મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે કોરોનાનુ સંક્રમણ હવાના માધ્યથી ફેલાઈ રહ્યુ છે.

આરોગ્ય મંત્રાલયે નવી ગાઈડલાઈનમાં કહ્યુ છે કે કોરોનાના હળવા લક્ષણોવાળા કેસોમાં આઈવરમેક્ટિન દવા ખાલી પેટે દિવસે એક વાર ત્રણથી પાંચ દિવસ માટે આપવામાં આવી શકે છે. વળી, હળવા લક્ષણવાળા કેસમાં દર્દીને સ્ટીરૉઈડ ન આપવાની વાત કહેવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે સ્તનપાન કરાવનાર માતાઓને કોરોના રસી આપવાની પણ મંજૂરી આપી દીધા છે.
આરોગ્ય મંત્રાલયે પ્લાઝ્મા થેરેપીનો કોરોનાના ઈલાજમાંથી હટાવી દીધુ છે. ગયા વર્ષની ગાઈડલાઈનમાં પ્લાઝ્મા થેરેપીને કોરોનાના ઈલાજમાં શામેલ કરવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે હવે કોરોના દર્દીઓ પર પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે.
ભારતમાં કોરોના કેસ
બુધવારે આરોગ્ય મંત્રાલય તરફથી જારી કરાયેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,08,921 નવા કેસ સામે આવ્યા છે અને 4,157 લોકોએ દમ તોડ્યો છે ત્યારબાદ પૉઝિટીવ કેસોની સંખ્યા 2,71,57,795 થઈ ગઈ છે અને મોતનો આંકડો 3,11,388 થઈ ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 2,95,955 લોકોએ હોસ્પિટલમાંથી રિકવર થઈને ઘરે પણ પાછા આવ્યા છે. હાલમાં દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 24,95,591 છે.
વળી, ભારતમાં અત્યાર સુધી 20,06,62,456 લોકોને વેક્સીન લગાવવામાં આવી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 20,39,087 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી ચૂકી છે. એટલુ જ નહિ કાલ સુધી ભારતમાં 22,17,320 સેમ્પટલ ટેસ્ટ કરવામાં આવ્યા છે ત્યારબાદ અત્યાર સુધી કુલ 33,48,11,496 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
