કોરોનાવાઈરસને કારણે રાજસ્થાનમાં 31 માર્ચ સુધી ટોટલ લૉકડાઉનનું એલાન
કોરોનાવાઈરસને કારણે રાજસ્થાનમાં 31 માર્ચ સુધી ટોટલ લૉકડાઉનનું એલાન
કોરોનાવાઈરસી નિપટવા અને તેને ફેલાવવાી રોકવા માટે રાજસ્થાન રકારે સંપૂર્ણપણે કમર કસી લીધી છે. રાજ્યની અશોક ગેહલોત સરકારે 31 માર્ચ સુધી આખા રાજસ્થાનને બંધ કરવાનો આદેશ આપ્યો છે. જો કે જરૂરી ચીજોની દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી રહેશે. કોરોનાને રોકવા માટે રાજસ્થાન સરકારનું આ અત્યાર સુધીનો સૌથી મોટો ફેસલો છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં આયોજિતબેઠકમાં આખા રાજ્યને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન તમામ બજાર, પ્રતિષ્ઠાનો અને સરકારે ઑફિસો બંધ રહેશે. રોડવેજ સહિત સાર્વજનિક પરિવહનના તમામ વાહનોના પરિચાલન પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે આ દરમિયાન રાજસ્વ સાથે જોડાયેલ કેટલાક એકમોમાં કામ સંચાલિત કરવામાં આવી શકે છે.
જરૂરી સેવાઓને છોડી આખું રાજસ્થાન 31 માર્ચ સુધી બંધ રહેશે. આ સંબંધમાં રાજસ્થઆનના ગૃહ વિભાગ તરફથી વિસ્તૃત આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈ બધા જિલ્લા કલેક્ટર્સને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. પીએમ મોદીના જનતા કર્ફ્યૂના એલાન બાદ ગહલોત સરકારે રાજસ્થાનને બંધ કરવાનો ફેસલો લીધો છે. અગાઉ ગુરુવારે પીએમ મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં રવિવારે એટલે કે 22 માર્ચના દિવસે જનતા કર્ફ્યૂની અપીલ કરી હતી.
Janta Curfew Live: પીએમ મોદીના આહ્વાન બાદ ભારતની કોરોના વિરુદ્ધ મોટી જંગી