કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ખતરનાક, માત્ર 10 દિવસમાં ડબલ થયા દૈનિક કેસ
દેશમાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે અને માત્ર 10 દિવસની અંદર જ કોરોના વાયરસના કેસ બમણા થઈ ગયા છે.
નવી દિલ્લીઃ ગુરુવારે કોરોના વાયરસે છેલ્લા બધા રેકૉર્ડ તોડી દીધા અને દેશભરમાં સંક્રમણના 2 લાખથી વધુ નવા કેસ નોંધવામાં આવ્યા. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા એ વાતના સાક્ષી છે કે દેશમાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે અને માત્ર 10 દિવસની અંદર જ કોરોના વાયરસના કેસ બમણા થઈ ગયા છે. ભારત સિવાય માત્ર અમેરિકા એવો દેશ છે જ્યાં એક દિવસની અંદર કોરોના વાયરસના 2 લાખથી વધુ કેસ મળ્યા હતા. જો કે 1 લાખનો આંકડો પાર કર્યા બાદ અમેરિકામાં 21 દિવસ બાદ કેસ બમણા થયા હતા.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ અમેરિકામાં પહેલી વાર 1 લાખ કેસ ગયા વર્ષે 30 ઓક્ટોબરે સામે આવ્યા અને 21 દિવસ બાદ એટલે કે 20 નવેમ્બરે દૈનિક દર્દીઓની સંખ્યા 2 લાખને પાર કરી ગયા. ત્યારબાદ 8 જાન્યુઆરીએ એક દિવસની અંદર અમેરિકામાં સૌથી વધુ 3,09,035 નવા કેસ રેકૉર્ડ કરવામાં આવ્યા. વળી, ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર આવ્યા બાદ છેલ્લા 11માંથી 9 દિવસોમાં સંક્રમણના કેસોએ નવા રેકૉર્ડ બનાવ્યા છે. આ દરમિયાન માત્ર બે સોમવારે કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળ્યો જેનુ કારણે વીકેન્ડમાં ઓછુ ટેસ્ટિંગ અને સ્ટાફની કમી હતી.
વળી, ગુરુવારે સતત ત્રીજા દિવસે દેશમાં કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યા 1 હજારથી ઉપર રેકૉર્ડ કરવામાં આવી. આ પહેલા ગયા વર્ષે 2 ઓક્ટોબરે મૃતકોની સંખ્યા 1 હજારથી વધુ રહી હતી. કોરોના વાયરસના કારણે હાલમાં દેશમાં ઘણા રાજ્યો ખાસ કરીને હિંદીભાષી રાજ્યોમાં સ્થિતિ સતત બગડી રહી છે. બુધવારે 9 રાજ્યોમાં કોરોના વાયરસના અત્યાર સુધી સૌથી વધુ કેસ રેકૉર્ડ કરવામાં આવ્યા છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?







Click it and Unblock the Notifications
