For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: દેશમાં દર્દીઓની સંખ્યા વધીને 979 થઈ, 25 લોકોના મોત

Coronavirus: દેશમાં દર્દીઓની સંખ્યા વધીને 979 થઈ, 25 લોકોના મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે, સાથે જ ભારતમાં પણ મામલાનો વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તાજા આંકડા જાહેર કર્યા છે જે મુજબ રવિવારે સવારે 10 વાગ્યા સુધી દેશમાં કુલ 979 મામલા નોંધાયા છે. જો કે સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ કુલ મામલામાં 86 લોકો એવા પણ છે જેઓ સંપૂર્ણપણે ઠીક થઈ ગયા છે અને 1 વ્યક્તિને માઈગ્રેટ કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ મામલાઓમાં 25 કેસ એવા છે જ્યાં કોરોના વાયરસના સંક્રમણથી લોકો મૃત્યુ પામ્યા છે.

Coronavirus

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ કુલ 979 મામલામાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રના છે જ્યાં 186 લોકોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે, મહારાષ્ટ્રમાં 25 લોકો ઠીક પણ થઈ ગયા છે પરંતુ 6 લોકોના મોત થયાં છે. મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે કેરળ છે જ્યાં અત્યાર સુધીમાં 182 મામલા નોંધાયા છે જેમાંથી 15 લોકો ઠીક થઈ ચૂક્યા છે અને 1 વ્યક્તિનું મોત થયું છે.

ગુજરાતમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની કુલ સંખ્યા 58 થઈ ગઈ છે જ્યારે 5ના મોત થયાં છે. અમદાવાદમાં કુલ 3 વ્યક્તિના મોત થયાં છે જ્યારે સુરત અને ભાવનગરમાં 1-1 વ્યક્તિના મોત થયાં છે.

લોકોને ખુલ્લામાં છીંકવા અને Coronavirus ફેલાવાના આરોપી એન્જીનિયરની ધરપકડ, કંપનીએ પણ કાઢી મૂક્યોલોકોને ખુલ્લામાં છીંકવા અને Coronavirus ફેલાવાના આરોપી એન્જીનિયરની ધરપકડ, કંપનીએ પણ કાઢી મૂક્યો

English summary
Coronavirus: The number of patients in the country increased to 979, 25 died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X