દેશમાં કોરોના વાયરસના 55079 નવા કેસ સામે આવ્યા, કુલ મામલા 27 લાખને પાર
દેશમાં કોરોના વાયરસના 55079 નવા કેસ સામે આવ્યા, કુલ મામલા 27 લાખને પાર
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના 55079 નવા મામલા સામે આવ્યા છે અને 876 દર્દીના મોત થયાં છે. દેશમાં હાલ કોરોનાના પોઝટિવ મામલાની કુલ ંખ્યા 3702743 છે જેમાં 673166 સક્રિય મામલા, 1977780 ડિસ્ચાર્જ મામલા અને 51797 મોત સામેલ છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ મુજબ 17 ઓગસ્ટ સુધી કોરોના વાયરસના કુલ 30941264 ટેસ્ટ કરાયા, જેમાંથી 899864 ટેસ્ટ સોમવારે કરાયા છે.
ક્યાં કેટલા મામલા?
મધ્ય પ્રદેશમાં 930 નવા મામલા નોંધાયા છે. કુલ મામલાની સંખ્યા 46385 થઈ ગઈ છે જેમાં 10232 સક્રિય મામલા અે 35025 ડિસ્ચાર્જ મામલા સામેલ છે. મિઝોરમમાં હાલ કોરોના વાયરસ પોઝિટિવ મામલાની કુલ સંખ્યા 815 છે, જેમાં 372 ઠીક થઈ ચૂક્યા છે ને્ 443 સક્રિય મામલા સામેલ છે. ગોવામાં 335 નવા મામલા નોંધાયા.
મહારાષ્ટ્રમાં સંક્રમણના કેટલા કેસ?
મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 8493 નવા મામલા સામે આવ્યા છે અને 228 લોકોના મોત થયાં છે. 11391 દર્દી ઠીક થયા બાદ ડિસ્ચાર્જ પણ થઈ ચૂક્યા છે. રાજ્યમાં કુલ મામલા વધીને 604358 થઈ ગયા છેૈ, જેમાં 428514 રિકવર,155268 સક્રિય મામલા અે 20265 મોત સામેલ છે. મુંબઈમાં 753 નવા કેસ અને 40 મોત નોંધાયાં છે. હાલ કુલ મામલાની સંખ્યા 129479 છે, જેમાં 104301 રિકવર મામલા, 17707 સક્રિય મામલા અને 7170 મોત
દિલ્હીમાં કોરોનાનો કહેર
દિલ્હીમાં 787 નવા મામલા સામે આવ્યા છે, 740 લોકો રિકવર થયા છે અને 18 દર્દીના મોત થયાં છે. કુલ મામલાની સંખ્યા હવે 153301 છે, જેમાં 138301 રિકવર મામલા, 10852 સક્રિય મામલા અને 4214 મોત સામેલ છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
જ્યારે ગુજરાતમાં કુલ 1033 નવા મામલા સામે આવ્યા છે અને 15 દર્દીએ જીવ ગુમાવ્યા છે. 14435 સક્રિય મામલા છે, 62579 લોકો રિકવર થી ચૂક્યા છે અને કુલ 2802 લોકોના મોત થયાં છે. ગુજરાતમાં કોરોનાના કુલ મામલાની સંખ્યા 79816ને પાર પહોંચી ગઈ છે. ચંદીગઢમાં કુલ મામલા વધીને 2216 થઈ ગયા છે, જેમાં 1183 રિકવર થયા છે અને 30ના મોત થયાં છે.
Coronavirus: મલેશિયામાં કોરોના વાયરસનું ખતરનાક રૂપ સામે આવ્યું, જાણો D614G શું છે