For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના કેસોમાં 287 દિવસ પછી સૌથી મોટી રાહત, 24 કલાકમાં 8865 નવા દર્દી, 11971 દર્દી થયા રિકવર

આજે આરોગ્ય મંત્રાલયે કોરોના મહામારી વિશે મોટા રાહતના સમાચાર આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. આજે આરોગ્ય મંત્રાલયે મોટા રાહતના સમાચાર આપ્યા છે. મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 8865 નવા કેસ સામે આવ્યા, આ સંખ્યા 287 દિવસોમાં સૌથી ઓછી છે. 135 કરોડની વસ્તીવાળા દેશમાં એક દિવસમાં 10 હજારથી ઓછા દર્દી મળવા એ મહામારીમાં રાહત તરીકે જોઈ શકાય છે.

રિકવર થનાર લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે

રિકવર થનાર લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે

આરોગ્ય મંત્રાલય તરફથી એ પણ જણાવવામાં આવ્યુ છે કે નવા મળી રહેલા દર્દીઓની સરખામણીમાં કોરોના બિમારીથી રિકવર થનાર લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. કાલની જ વાત કરીએ તો દેશભરમાં 11,971 લોકો રિકવર થયા અને 197 મોત થયા. હાલમાં સક્રિય કેસ 1,30,793 છે કે જે 525 દિવસમાં સૌથી ઓછા છે. આ ઉપરાંત છેલ્લા 43 દિવસ માટે ડેઈલી પૉઝિટિવિટી રેટ (0.80%) 2%થી ઓછો, જ્યારે વીકલી પૉઝિટિવિટી રેટ(0.97%) છેલ્લા 53 દિવસો માટે 2% થી ઓછો આંકવામાં આવ્યો છે.

રિકવર થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે

રિકવર થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે

આમ તો દેશમાં સક્રિય કોરોના પીડિતોની સંખ્યા હજુ પણ 1 લાખથી વધુ છે. જો કે, સારી વાત એ છે કે અહીં રિકવર થનાર દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આજે ન્યૂઝ એજન્સીએ સરકારના હવાલાથી જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં સામે આવેલા 8865 નવા કેસોમાંથી એકલા કેરળ રાજ્યમાં 4547 નવા કેસ નોંધવામાં આવ્યા છે. વળી, 6866 રિકવર થયા છે અને ત્યાં 57 મોત થયા છે.

દેશભરમાં 62,57,74,159 સેમ્પલ્સ ટેસ્ટ

દેશભરમાં 62,57,74,159 સેમ્પલ્સ ટેસ્ટ

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે 15 નવેમ્બર સુધી દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણ વિશે જાણવા માટે કુલ 62,57,74,159 સેમ્પલ્સ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 15 નવેમ્બરે ટેસ્ટ કરેલા 11,07,617 સેમ્પલ્સ પણ શામેલ છે. રાજ્યોમાં રોજ મળી રહેલા દર્દીઓની વાત કરીએ તો કાલે મિઝોરમમાં 611 નવા કેસ નોંધવામાં આવ્યા છે. વળી, સક્રિય કેસનો આંકડો 5185 છે.

આસામમાં કોરોના વાયરસના 253 નવા કેસ

આસામમાં કોરોના વાયરસના 253 નવા કેસ

આ ઉપરાંત આસામમાં કોરોના વાયરસના 253 નવા કેસ સામે આવ્યા, 252 રિકવરી અને 3 લોકોના કોરોનાથી મોત થયા. હવે ત્યાં સક્રિય કેસ - 1807 છે અને કુલ કેસ - 6,14,166 સુધી પહોંચી ગયા છે. જેમાંથી કુલ રિકવરી - 6,04,960 અને કુલ મોત - 6,052 થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 802 ના કેસ સામે આવ્યા. 918 દર્દી રિકવર થયા અને 12 મોત નોંધવામાં આવ્યા.

English summary
Coronavirus Update: New 8,865 covid-19 cases and 11,971 recoveries in last 24 hours as per Union Health Ministry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X