For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના અપડેટઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9119 નવા કેસ, 396 દર્દીઓના થયા મોત

ભારતમાં કોરોના વાયરસના કેસો હવે સ્થિર થઈ ગયા છે. જાણો લેટેસ્ટ આંકડો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કેસો હવે સ્થિર થઈ ગયા છે. ગુરુવારે(25 નવેમ્બર)ના રોજ આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9119 નવા કોરોના વાયરસ કેસ સામે આવ્યા છે. વળી, આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં 10,264 લોકો રિકવર થયા છે અને 396 દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા 1,09,940 છે જે છેલ્લા 539 દિવસોમાં સૌથી ઓછા છે.

coronavirus

દેશમાં કોરોનાથી અત્યાર સુધી કુલ રિકવરી 3,39,67,962 છે. કોરોનાના સક્રિય કેસ 1,09,940 છે જે અત્યાર સુધીના કુલ સંક્રમણના 1 ટકાથી પણ ઓછા છે. હાલમાં આ આંકડો 0.32 ટકા છે. દેશમાં દૈનિક પૉઝિટિવિટી રેટ 0.79 ટકા છે. જે છેલ્લા 52 દિવસોથી 2 ટકાથી ઓછો છે. વળી, સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ 0.90 ટકા છે જે 62 દિવસોમાં 2 ટકાથી ઓછો છે. દેશમાં અત્યાર સુધી 63.59 કરોડ કોરોના સેમ્પલની તપાસ કરવામાં આવી. દેશમાં વેક્સીનેશનનો આંકડો 119.38 કરોડ છે.

English summary
Coronavirus Update: New 9,119 Covid-19 cases and 396 dead in last 24 hours in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X