Coronavirus Update: ભારતમાં છેલ્લા 24 કલાકમાં આવ્યા 36571 નવા કેસ અને 540 લોકોના મોત
કોરોના વાયરસ મહામારીનુ સંક્રમણ ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યુ. ફરીથી એક વાર દેશમાં કોરોનાના નવા કેસ 40 હજારથી ઓછા આવ્યા છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારીનુ સંક્રમણ ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યુ. ફરીથી એક વાર દેશમાં કોરોનાના નવા કેસ 40 હજારથી ઓછા આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 36,571 નવા કેસ સામે આવ્યા અને 540 લોકોના મોત થયા છે. જેના કારણે સક્રીય દર્દીઓની સંખ્યા 363,605 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી રિકવર થનાર લોકોની સંખ્યા 36,555 છે. દેશમાં કોરોનાથી કુલ રિકવર લોકોની સંખ્યા 31,561,635 થઈ ગઈ છે. વળી, કોરોના સંક્રમણથી થયેલ મોતનો કુલ આંકડો 433,589 સુધી પહોંચી ગયો છે.
રિકવરી રેટ વધીને 97.54 ટકા થઈ ગયો છે કે જે માર્ચ 2020 બાદ સૌથી વધુ છે. સાપ્તાહિક પૉઝિટિવીટી રેટ 1.93 ટકા છે કે જે છેલ્લા 56 દિવસોમાં સતત 3 ટકાથી નીચે છે. વળી, દૈનિક પૉઝિટિવિટી રેટ 1.94 ટકા છે કે જે છેલ્લા 25 દિવસોથી સતત 3 ટકાથી નીચે છે. વળી, અત્યાર સુધી કુલ 50.26 કરોડ કોરોના ટેસ્ટ થયા છે. અત્યાર સુધી કુલ 57.22 કરોડ લોકોનુ રસીકરણ થયુ છે.
મહારાષ્ટ્રમાં કોરોના કેસની વાત કરીએ તો ગુરુવારે 5225 નવા કેસ સામે આવ્યા તે બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 64,11,570 થઈ ગઈ છે જ્યારે 154 દર્દીઓના મોત થયા છે. મહારાષ્ટ્ર્માં કોરોનાથી મરનારની સંખ્યા અત્યાર સુધીમાં 1,35,567 સુધી પહોંચી ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 5557 દર્દી રિકવર થયા ત્યારબાદ રિકવર થનાર દર્દીઓની સંખ્યા વધીને 62,14,921 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19નો રિકવરી દર 96.93 ટકા થઈ ગયો છે જ્યારે મૃત્યુદર 2.11 ટકા છે.
દિલ્લીમાં પણ કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં 25 નવા કોરોના કેસ સામે આવ્યા છે. પહેલી વાર દિલ્લામાં કોરોના સંક્રમણનો દર 0.04 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓના મોત સાથે દિલ્લીમાં કોરોનાતી મોતનો કુલ આંકડો વધીને 25,079 થઈ ગયો છે. વળી, સક્રિય દર્દીઓની સંખ્યા 448 છે. હોમ આઈસોલેશનમાં 140 દર્દી ઈલાજ કરાવી રહ્યા છે. સક્રિય કોરોના દર્દીઓનો દર 0.03 છે અને રિકવરી દર 98.22 ટકા છે.