કેરળમાં યોજાશે યાત્રા ટેકનોલોજી અંગે દેશનું પ્રથમ સંમેલન
આ ક્ષેત્રના નિષ્ણાતો સંમેલનમાં નવી ટેકનોલોજી અને તેમાં રહેલી વિવિધ તકો અંગે ચર્ચા કરશે. સંમેલનનું આયોજન એસોસિએશન ઓફ ટુરિઝ્મ એન્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિયા (એટીટીઓઆઇ)એ કેરળના પર્યટન વિભાગ સાથે મળીને કર્યું છે.
એટીટીઓઆઇના સચિવ અને આઇસીટીટીના આયોજન સચિવ પી કે અનીષ કુમારે જણાવ્યું કે "પર્યટન સ્થળોની માહિતીથી લઇને યાત્રાની યોજના બનાવવા સુધીની દરેક બાબતો માટે પર્યટકો આજે સોશિયલ મીડિયા અને ઓનલાઇન સોર્સનો ભરપૂર ઉપયોગ કરે છે. હવે પર્યટન વિભાગ સાથે સંકળાયેલા બિઝનેસમેને વેબસાઇટની ઉપસ્થિતિનું મહત્વ સમજવું પડશે, તેમણે જાણવું પડશે કે ઓનલાઇન ટેકનોલોજીનો લાભ કેવી રીતે મેળવી શકાય છે. આઇસીટીટી ઇન્ડિયા પાસેથી આ જ લક્ષ્ય પ્રપ્ત કરવાની આશા છે."
આ સંમેલનમાં ટૂર એન્ડ ટ્રાવેલ ટેકનોલોજી કંપનીઓ પોતાના નવા સોફ્ટવેર અને મોબાઇલ એપ્લિકેશનોનું પ્રદર્શન પણ કરી શકશે અને તેમાં સુધારણા અંગે ચર્ચા કરી શકશે.