For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગડકરીની ફરિયાદના પગલે દિગ્વિજય સિંહને સમન્સ

By Super
|
Google Oneindia Gujarati News

gadkari-digvijay
નવીદિલ્હી, 17 નવેમ્બરઃ દિલ્હની એક અદાલતે ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરી તરફથી દાખલ કરવામાં આવેલી માનહાનીની ફરિયાદના પગલે કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહને સમન્સ જારી કર્યું છે. અદાલતે માનહાનીના મામલે દિગ્વિજય સિંહને 21 ડિસેમ્બરે અદાલત સમક્ષ ઉપસ્થિત રહેવા કહ્યું છે.

નોંધનીય છે કે, દિગ્વજિય સિંહે આરોપ લગાવ્યો હતો કે મધ્ય પ્રદેશથી રાજ્યસભના સભ્ય અજય સંચેતીને કોલ બ્લોક ફાળવણી કરાવવામાં ગડકરીની ભૂમિકા મહત્વની છે.

દિગ્વિજયે આરોપ મુક્યો છે કે ગડકરીના નજીકના હોવાથી જ સંચેતીને કોલ બ્લોક ફાળવણી કરવામાં આવી. ગડકરીએ આ આરોપોનું ખંડન કરતા દિગ્વિજય સિંહ પર દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કર્યો છે.

English summary
Senior Congress leader Digvijay Singh was on Saturday summoned by a Delhi court to face trial in a criminal defamation case lodged against him by BJP President Nitin Gadkari.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X