COVID 19: લાઈવ ચેટ દરમિયાન પોતાનો હાલ જણાવતા રડવા લાગી કેબિનેટ મંત્રીની વહુ
COVID 19: લાઈવ ચેટ દરમિયાન પોતાનો હાલ જણાવતા રડવા લાગી કેબિનેટ મંત્રીની વહુ
નવી દિલ્હીઃ સ્ટાર પ્લશના મશહૂર શો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં કામ કરી ચૂકેલી ટીવી એક્ટ્રેસ અને ઉત્તરાખંડના કેબિનેટ મિનિસ્ટર સતપાલ મહારાજની નાની વહુ મહિના કુમારી અનેતેના ઘરના 21 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે, ઋષિકેશના એમ્સ હસ્પિટલ ખાતે આ તમામનો ઈળાજ ચાલી રહ્યો છે, આખો પરિવાર હાલ ખતરનાક બીમારી સામે જંગ લડી રહ્યો છે, સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી મોહિનાએ હાલમાં જ પોતાના ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ કરી, જે દરમિયાન તેમણે આ બીમારીના અનુભવો લોકો સાથે શેર કર્યા પરંતુ આ દરમિયાન એક પળ એવી પણ હતી જ્યારે મોહિના ખુદને સંભાળી ના શકી અને રડવા લાગી.
કેબિનેટ મંત્રીની વહુ રડવ લાગી
જણાવી દઈએ કે ફેન્સ સથે લાઈવ ચેટ દરમિયાન તેમના મિત્ર એક્ટર ગૌરવ વાધવા પણ સેશનમાં જોડાઈ ગયા, પોતાના મિત્રોને આમ સામે જોઈ મોહિના કુમારી ખુદને રોકી ના શકી અને બહુ ભાવુક થઈ ગઈ અને રોવા લાગી, જોકે ગૌરવે જ્યારે આનું કારણ પૂછ્યું તો મોહિનાએ જણાવ્યું કે આ ખુશીના આંસુ છે, જે કે તેમને અચાનક સામે જોઈ નીકળી આવ્યા છે, જે બાદ તેમના મિત્રએ તેમને હંસાવવાની કશિશ કરી જે બાદ મોહિના નોર્મલ થઈ શકી.
કોરોનાના કારણે માનસિક રૂપે પરેશન રહી
તેમણે કહ્યું કે કોરોનાના કારણે તે શારીરિક નહિ બલકે માનસિક રૂપે ઘણી પરેશાન થઈ, 6 દિવસ બાદ પણ પોતાન રિપોર્ટ નેગેટિવ નથી આવ્યો, મોહિનાએ કહ્યું કે જ્યારે તેનો કોવિડ 19 ટેસ્ટ પૉઝિટિવ આવ્યો ત્યારે તે ડરી ગઈ હતી, પરંતુ તે લાહ આપે છે કે આનાથી ડરવાની જરૂરત નથી.
મોહિનાનો આખો પરિવાર કોરોનાના ઝપેટમાં
ઉલ્લેખનીય છે કે મહિના કુમારી સિંહ સિવાય તેના પતિ સુયશ રાવત, સસુર અને કેબિનેટ મંત્રી સતપાલ મહારાજ, સાસુ અમૃતા રાવત, જેઠાણી આરાધ્યા અને તેન પાંચ વર્ષનો દીકરો પણ કરોનાથી સંક્રમિત છે. મહિનાના ઘરમા કામ કરતા 17 કર્મચારીઓના કોવિડ 19 ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા છે, જણાવી દઈએ કે સૌથઈ પહેલા મોહિનાના સાસુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે બાદ તેના આખા પરિવારનો કોરોનાનો ટેસ્ટ થયો, જેમાં જેઠને છોડી બધા સંક્રમિત નીકળ્યા.
રીવાની રાજકુમારી છે મોહિના
જણાવી દઈએ કે રીવાની રાજકુમારી અને ટીવી શો યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં કીર્તિનો રોલ નિભવી ચૂકેલી અભિનેત્રી મોહિના કુમારી સિંહ ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી અને આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સુયશ રાવતની પત્ની છે, પાછલા વર્ષે ઓક્ટોબરમાં જ બંનેના લગ્ન થઈ ગયાં હતાં, આ શાહી લગ્નમાં રાજનીતિ અને સાંસ્કૃતિક ક્ષત્રની કેટલીય હસ્તીઓએ ભાગ લીધો હતો.
એક્ટિંગને મોહિનાનું ગુડ બાય
જણાવી દઈએ કે મોહિની રિવાના મહારાજા પુષ્પરાજ સિંહ જૂદેવની દીકરી છે અને તેની રિયલ લાઇફ બહુ રૉયલ છે, તેમણે અભિનય અને ડાંસને બહુ શોક છે અને આ કારણે જ તેમણે ટીવીની દુનિયામાં પગલું માંડ્યું હતું, તેમણે રિયાલિટી શો ડાંસ ઈન્ડિયા ડાંસની સીઝ 3 દ્વારા પડદા પર ડેબ્યૂ કર્યું હતું અને તે બાદ તેમણે અભિનેત્રી તરીકે ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીના કેટલાય શોમાં કામ કર્યું છે. મોહિનાના અંતિમ ટીવી શો યે રિશ્તા ક્યા કહલાતા હૈ રહ્યો, લગ્ન બાદ તેમણે ટીવીની દુનિયાને અલવિદા કહી દીધી.
તિર્થયાત્રીઓ માટે 11 જૂનથી તિરુપતિ બાલાજી મંદિર ખુલશે, ગાઇડલાઇન જાહેર