Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દેશના કેટલાય રાજ્યોમાં તેજીથી વધી રહેલા કોરોના સંક્રમિતોની સંખ્યાને જોતા સરકારે બનાવી રણનીતિ

દેશના કેટલાય રાજ્યોમાં તેજીથી વધી રહેલા કોરોના સંક્રમિતોની સંખ્યાને જોતા સરકારે બનાવી આ 'રણનીતિ'

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ તેજીથી પગપેસારો કરી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 83 લોકોના મોત થઈ ચૂક્યાં છે અને 3577 લોકો આના સંક્રમણના શિકાર બની ગયા છે. દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 505 દર્દી સામે આવ્યા છે. જ્યારે ઠીક થનાર દર્દીની સંખ્યા 275 છે. કોરોના વાયરસથી વધતા મામલાને જોતા દેશમાં 21 દિવસ માટે લૉકડાઉન જાહેર છે જે 14 એપ્રિલ સુધી ચાલશે. જો કે કેટલાય રાજ્ય એવા છે જ્યાં કોરોનાના વધુ મામલા સામે આવી રહ્યા છે. જેને જોતા કેન્દ્ર સરકારે એક રણનીતિ બનાવી છે.

બેકાબૂ બની રહ્યો છે કોરોના

બેકાબૂ બની રહ્યો છે કોરોના

સરકારની સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની બેકાબૂ થતી સ્થિતિને જોતા આક્રમક યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત જે સૌથી પ્રભાવિત વિસ્તાર છે તેને સંપૂર્ણપણે બફર ઝોન બનાવીને સીલ કરવામાં આવશે. આવા વિસ્તારોને લગભગ એક મહિના સુધી સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવશે. આવા વિસ્તારોથી કોરોના વધુ ફેલાવવાનો ખતરો વધી ગયો છે જેને જોતા જ સરકાર આ રણનીતિ અપનાવશે.

સરકારે બનાવી આ રણનીતિ

સરકારે બનાવી આ રણનીતિ

જણાવી દઈએ કે દેશના 274 જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડ-19ના મામલા સામે આવ્યા છે. 22 માર્ચથી કોરોના સંક્રમિત મામલામાં ત્રણ ગણો વધારો થયો છે, જે બાદ સરકારે આ પ્લાન બનાવ્યો છે. 20 પાનાના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે આ રણનીતિને માત્ર એ સમયે જ લાગૂ કરવામાં આવશે જ્યારે અંતિમ પુષ્ટિ પરીક્ષણ બાદ ઓછામા ઓછા ચાર અઠવાડિયા સુધી કોવિડ-19ના કોઈપણ નવા મામલાનો રિપોર્ટ કરવામાં ના આવે.

બફર ઝોન બનાવાશે

બફર ઝોન બનાવાશે

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર જાહેર દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે તમામ સંદિગ્ધ અને કોરોના સંક્રમિત દર્દીને હોસ્પિટલે દાખલ કરી આઈસોલેશનમાં રાખવામાં આવશે. દર્દીને ત્યારે જ ડિસ્ચાર્જ કરવામાં આવશે, જ્યારે તેમનો સેમ્પલ નેગેટિવ જણાય. જે લોકોમાં કોરોનાના હળવા લક્ષણ જોવા મળશે તેમને ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે. જે દર્દીમાં કોરોનાના થોડા વધુ લક્ષણ હશે તેમને હોસ્પિટલે રાખવામાં આવશે અને જેમાં ગંભીર લક્ષણ જણાશે તેમને એડવાન્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવશે.

જરૂરી વસ્તુઓ જ મળશે

જરૂરી વસ્તુઓ જ મળશે

સરકારના પ્લાનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જે વિસ્તારને બફર ઝોન બનાવવામાં આવશે. આ વિસ્તારોમાં કોઈ સાર્વજનિક અને ખાનગી પરિવહનની મંજૂરી નહિ હોય. માત્ર જરૂરી ચીજ વસ્તુઓની જ મંજૂરી આપવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X