દેશના કેટલાય રાજ્યોમાં તેજીથી વધી રહેલા કોરોના સંક્રમિતોની સંખ્યાને જોતા સરકારે બનાવી રણનીતિ
દેશના કેટલાય રાજ્યોમાં તેજીથી વધી રહેલા કોરોના સંક્રમિતોની સંખ્યાને જોતા સરકારે બનાવી આ 'રણનીતિ'
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ તેજીથી પગપેસારો કરી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 83 લોકોના મોત થઈ ચૂક્યાં છે અને 3577 લોકો આના સંક્રમણના શિકાર બની ગયા છે. દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 505 દર્દી સામે આવ્યા છે. જ્યારે ઠીક થનાર દર્દીની સંખ્યા 275 છે. કોરોના વાયરસથી વધતા મામલાને જોતા દેશમાં 21 દિવસ માટે લૉકડાઉન જાહેર છે જે 14 એપ્રિલ સુધી ચાલશે. જો કે કેટલાય રાજ્ય એવા છે જ્યાં કોરોનાના વધુ મામલા સામે આવી રહ્યા છે. જેને જોતા કેન્દ્ર સરકારે એક રણનીતિ બનાવી છે.

બેકાબૂ બની રહ્યો છે કોરોના
સરકારની સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની બેકાબૂ થતી સ્થિતિને જોતા આક્રમક યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત જે સૌથી પ્રભાવિત વિસ્તાર છે તેને સંપૂર્ણપણે બફર ઝોન બનાવીને સીલ કરવામાં આવશે. આવા વિસ્તારોને લગભગ એક મહિના સુધી સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવશે. આવા વિસ્તારોથી કોરોના વધુ ફેલાવવાનો ખતરો વધી ગયો છે જેને જોતા જ સરકાર આ રણનીતિ અપનાવશે.

સરકારે બનાવી આ રણનીતિ
જણાવી દઈએ કે દેશના 274 જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડ-19ના મામલા સામે આવ્યા છે. 22 માર્ચથી કોરોના સંક્રમિત મામલામાં ત્રણ ગણો વધારો થયો છે, જે બાદ સરકારે આ પ્લાન બનાવ્યો છે. 20 પાનાના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે આ રણનીતિને માત્ર એ સમયે જ લાગૂ કરવામાં આવશે જ્યારે અંતિમ પુષ્ટિ પરીક્ષણ બાદ ઓછામા ઓછા ચાર અઠવાડિયા સુધી કોવિડ-19ના કોઈપણ નવા મામલાનો રિપોર્ટ કરવામાં ના આવે.

બફર ઝોન બનાવાશે
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર જાહેર દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે તમામ સંદિગ્ધ અને કોરોના સંક્રમિત દર્દીને હોસ્પિટલે દાખલ કરી આઈસોલેશનમાં રાખવામાં આવશે. દર્દીને ત્યારે જ ડિસ્ચાર્જ કરવામાં આવશે, જ્યારે તેમનો સેમ્પલ નેગેટિવ જણાય. જે લોકોમાં કોરોનાના હળવા લક્ષણ જોવા મળશે તેમને ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે. જે દર્દીમાં કોરોનાના થોડા વધુ લક્ષણ હશે તેમને હોસ્પિટલે રાખવામાં આવશે અને જેમાં ગંભીર લક્ષણ જણાશે તેમને એડવાન્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવશે.

જરૂરી વસ્તુઓ જ મળશે
સરકારના પ્લાનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જે વિસ્તારને બફર ઝોન બનાવવામાં આવશે. આ વિસ્તારોમાં કોઈ સાર્વજનિક અને ખાનગી પરિવહનની મંજૂરી નહિ હોય. માત્ર જરૂરી ચીજ વસ્તુઓની જ મંજૂરી આપવામાં આવશે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા








Click it and Unblock the Notifications
