સંસદની નવી બિલ્ડીગના ઉદ્ધઘાટનનો સીપીઆઇએમે કર્યો બહિષ્કાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદની નવી બિલ્ડીગનું ઉદ્ધઘાટન કરવા જઇ રહ્યા છે. પરંતુ વિપક્ષના ઘણા પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. તે સંસદની નવી બિલ્ડીંગનો વિરોધ કરી રહ્યા છે. અને આ કાર્યક્રમથી દુરી બનાવી રહ્યા છે.

સીપીઆઇએમે જાહેરાત કરી છે 28 મે ના સંસદ ની નવી બિલ્ડીગના ઉદ્ધઘાટન કાર્યક્રમમાં તે ભાગ નહી લે. સીપીઆઇએમના રાજ્યસભા સાસંદ ડોક્ટર જોન બ્રિટસે આ વાતની પુષ્ટી કરી છે.
સીપીઆઇએમના મહાસચિવ સીતારામ યેચુરીએ આરોપ લગાવ્યો છે કે, પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિનું કામ કરી રહ્યા છે. યેચુરીએ કહ્યુ કે, સંસદ ભવનનો પાયો નાખાવામાં આવ્યો હતો ત્યારે રાષ્ટ્રપતિને દરકિનાર કરતા તેના પાયાની ઇટ રાખી હતી. અને તેનું ઉદ્દઘાટન પણ કરવા જઇ રહ્યા છે. જે ક્યારેય સ્વીકાર્ય નથી.
યેચુરીએ કહ્યુ કે, સંવિધાનના આર્ટિકલ 79 અનુસાર સંઘની એક સંસદ હશે. જેમા રાષ્ટ્રપતિ હશે. અને બે સંદન હશે. જ્યારે ભારતના રાષ્ટ્રપતિ સમન કરે ત્યારે જ સંસદની બેઠક થાય. સંયુક્ત સદનને રાષ્ટ્રપતિ સંબોધન કરશે. ત્યાર બાદ જ સંસદની કાર્યવાહી શરુ થયા છે.












Click it and Unblock the Notifications
