હનુમાન જયંતિ પર બંગાળ સરકાર એલર્ટ, ત્રણ શહેરોમાં CRPF તૈનાત કરાઈ
રામનવમી પર જોવા મળેલી હિંસા બાદ પશ્ચિમ બંગાળ સરકાર એલર્ટ જોવા મળી રહી છે. હાવડામાં હિંસા થયા બાદ હવે મમતા સરકારે હનુમાન જયંતિને લઈને આગોતરૂ આયોજન કર્યુ છે અને CRPF તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, હનુમાન જયંતિના દિવસે કોલકાતા, ચંદનનગર અને બેરકપુરમાં CRPF જવાનોને તૈનાત કરાશે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, બંગાળ સરકારે કલકત્તા હાઈકોર્ટ પાસે હનુમાન જયંતિ પર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા કેન્દ્ર સરકારને ફોર્સ આપવા માટે નિર્દેશ માંગ્યો હતો. કોર્ટનો આદેશ રામ નવમીની ઉજવણી દરમિયાન અને પછી બંગાળના કેટલાક જિલ્લાઓમાં ફાટી નીકળેલી અથડામણને લઈને આવ્યો હતો.
એક તરફ કાયદો અને વ્યવસ્થા જાળવવા સેના ઉતારવામાં આવી રહી છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને હનુમાન જયંતિને શાંતિપૂર્ણ રીતે ઉજવવા વિનંતી કરી છે. મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે, આવતીકાલે હનુમાન જયંતિ છે, દરેકને શાંતિપૂર્વક ઉજવણી કરવા અપીલ છે. ધર્મ એ વ્યક્તિગત પસંદગી છે, તહેવારો બધા માટે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
