Cyclone Asani : આંદામાન અને નિકોબારમાં જહાજોની અવરજવર અટકી, હેલ્પલાઈન નંબર જાહેર

આંદામાન-નિકોબાર ટાપુઓ પર ચક્રવાતી તોફાન અસનીનો ખતરો છે, જેના કારણે વહીવટી તંત્ર એલર્ટ પર છે. આ સાથે દરિયા કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

Cyclone Asani : આંદામાન-નિકોબાર ટાપુઓ પર ચક્રવાતી તોફાન અસનીનો ખતરો છે, જેના કારણે વહીવટી તંત્ર એલર્ટ પર છે. આ સાથે દરિયા કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આ સિવાય NDRFની ઘણી ટીમોને અલગ-અલગ જગ્યાએ તૈનાત કરવામાં આવી છે. હવે આંદામાન અને નિકોબાર પ્રશાસને માછીમારો માટે અલગથી ચેતવણી જાહેર કરી છે.

મુસાફરો માટે વિશેષ હેલ્પલાઇન નંબર જાહેર

મુસાફરો માટે વિશેષ હેલ્પલાઇન નંબર જાહેર

વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આંદામાન અને નિકોબાર ટાપુઓના ફોરશોર સેક્ટર (પોર્ટ બ્લેર અને નજીકના ટાપુઓ વચ્ચેની સેવાઓ) માં જહાજોનીઅવરજવર બંધ કરી દેવામાં આવી છે.

આ સિવાય મુસાફરો માટે એક ખાસ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. કોઈપણ સમસ્યાના કિસ્સામાં, તેઓહેલ્પલાઈન નંબર 03192-245555/232714 અને ટોલ-ફ્રી નંબર 1800-345-2714 પર કોલ કરી શકે છે. આ સાથે તમામ લોકોને સલામત સ્થળે જવા માટે અપીલકરવામાં આવી રહી છે.

પવનની ગતિ કેટલી હશે?

પવનની ગતિ કેટલી હશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારના રોજ પવનની ઝડપ 70-80 કિમી પ્રતિ કલાકની રહેશે, પરંતુ બીજા દિવસે તે 90 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે.

આવી સ્થિતિમાં લોકોએ દરિયા કિનારે ન જવું જોઈએ. આંદામાન વોટર સ્પોર્ટ્સ માટે પણ પ્રખ્યાત છે, જેના પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નેવી અને એરફોર્સ સ્ટેન્ડબાય

નેવી અને એરફોર્સ સ્ટેન્ડબાય

ભારતીય સેના, નૌકાદળ, વાયુસેના અને ભારતીય કોસ્ટ ગાર્ડને NERF સાથે કોઈપણ અપ્રિય પરિસ્થિતિનો સામનો કરવા માટે સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.

જરૂર પડશે તો તેમની મદદ લેવામાં આવશે. આ તોફાનને શ્રીલંકાએ આસાની નામ આપ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X