Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cyclone Senyar: આ રાજ્યોમાં ચક્રવાત 'સેન-યાર'નો ખતરો, ભારે વરસાદ અને તોફાનની આશંકા, એલર્ટ જાહેર

બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન સક્રિય: 24 નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાશે, ચક્રવાત 'સેન-યાર' (અરબીમાં 'સિંહ')ને કારણે અંદમાન-નિકોબાર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદનું પૂર્વાનુમાન, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ.

Cyclone Senyar

Cyclone Senyar: છેલ્લા 3-4 દિવસથી તમિલનાડુ અને કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે આગામી 24 કલાકમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. બંગાળની ખાડી ઉપર એક શક્તિશાળી 'સાયક્લોનિક સર્ક્યુલેશન' બની રહ્યું છે, જે શક્તિશાળી ચક્રવાત 'સેન-યાર' (Cyclone Senyar) માં પરિવર્તિત થવાની સંભાવના છે.

હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, આ લો-પ્રેશર એરિયા 24 નવેમ્બર સુધીમાં 'ડિપ્રેશન'માં બદલાઈ શકે છે. આ ચક્રવાતનું નામ સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા સૂચવવામાં આવ્યું છે, જેનો અરબી ભાષામાં અર્થ 'સિંહ' થાય છે.

કયા રાજ્યોમાં કેવું એલર્ટ?

ચક્રવાત 'સેન-યાર'ના લેન્ડફોલની પ્રક્રિયા 27-30 નવેમ્બરની વચ્ચે શરૂ થવાની ધારણા છે, પરંતુ તેની અસર પહેલાં જ દક્ષિણના રાજ્યોમાં જોવા મળશે. IMDએ નીચે મુજબના રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ | અસર/પૂર્વાનુમાન | એલર્ટનો પ્રકાર
અંદમાન અને નિકોબાર| ભારે વરસાદ, 40-50 કિમી/કલાકની ઝડપે પવન, ઊંચા મોજાં. | ઓરેન્જ એલર્ટ
તમિલનાડુ | 23-26 નવેમ્બર દરમિયાન ભારે વરસાદ, તોફાન અને દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમ. | યલો એલર્ટ
આંધ્ર પ્રદેશ/તેલંગાણા | 23-25 નવેમ્બર વચ્ચે વીજળી સાથે તોફાની વરસાદની સંભાવના (ખાસ કરીને ગુંટુર, કર્નૂલ, ચિત્તૂર). | ઓરેન્જ એલર્ટ

સુરક્ષા પગલાં અને સાવચેતી

ચક્રવાતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે.

  • માછીમારોને ચેતવણી: માછીમારો અને નાવિકોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયામાં ન જવા માટે કડક સલાહ આપવામાં આવી છે.
  • દરિયાઈ પ્રવૃત્તિઓ બંધ: અંદમાન-નિકોબારના બંદરો પર હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જહાજ સંચાલન, ફેરી સેવાઓ અને અન્ય દરિયાઈ ગતિવિધિઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે.
  • પ્રવાસીઓને મનાઈ: સ્થાનિક વહીવટીતંત્રે સામાન્ય નાગરિકો, બોટ માલિકો અને પ્રવાસીઓને દરિયા કિનારાની નજીક જવાથી દૂર રહેવા જણાવ્યું છે.
  • ચક્રવાત એ સમુદ્રની સપાટીનું તાપમાન વધવાને કારણે હવા ઉપર ઉઠે અને નિમ્ન દબાણ સર્જાય, જે ભયંકર તોફાનનું રૂપ લે છે. લોકોએ સમયસર સાવચેતી રાખીને મોટા નુકસાનથી બચવું જરૂરી છે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X