Cyclone Tauktae: વાવાઝોડાંને પગલે સોમવારે રસીકરણ નહિ થાય, મેયરે જાણકારી આપી
Cyclone Tauktae: વાવાઝોડાંને પગલે સોમવારે રસીકરણ નહિ થાય, મેયરે જાણકારી આપી
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ચક્રવાતી તોફાન તૌકતેના અલર્ટ બાદ બીએમસીએ કોરોના વેક્સીન અભિયાન બે દિવસ (15 અને 16 મે) માટે સ્થગિત કરવાનો ફેસલો લીધો હતો, જેને હવે 17 મે માટે પણ ટાળી મૂકવામાં આવ્યું છે. બીએમસી કમિશ્નર મુજબ આઈએમડી તરફથી ભારે તોફાન તૌકતેને લઈ જાહેર ચેતવણીને ધ્યાનમાં રાખી હવે સોમવારે 17 મેના રોજ રસીકરણ કાર્યક્રમ સ્થગિત કરી દીધો છે. મુંબઈની મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું કે મુંબઈમાં રસીકરણ કાલે બંધ રહેવાની સંભાવના છે. મંગળવારે રસીકરણ કાર્યક્રમ ચાલુ રહેશે.

વેક્સીનેશન કાલે બંધ રહેશે
હવે બીએમસીએ નવી તારીખ જાહેર કરી છે. હવે મંગળવાર, બુધવાર અને ગુરુવારે વેક્સીનનું અભિયાન ફરીથી ચલાવાશે. મેયર કિશોરી પેડનેકરે જાણકારી આપતા કહ્યું કે તૌકતે તોફાન ગોવા પાર કરી ચૂક્યું છે અને હવે આ રત્નાગિરી પાસે છે. અમે સ્થિતિ પર નજર રાખેલી છે. આ ચક્રવાત એક મોટી સમસ્યા ઉભી કરી શકે છે. લાઈફ ગાર્ડ સહિત અમારી ટીમ સમુદ્ર પાસે તહેનાત છે. અમે તમામ મોટા ઝાડ કાપી મૂક્યાં છે અને પોલીસ પ્રેટોલિંગ કરી રહી છે.

પૂર્વ તૈયારીઓ કરી લીધી
અગાઉ બીએમસી એડિશનલ સિટી કમિશનર સુરેશ કાકાનીએ જણાવ્યું કે આ વરિષ્ઠ નાગરિકો માટે પરેશાની અને સંભાવિત ભીડથી બચવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, કેમ કે શહેરમાં વાવાઝોડાંના કારણે વરસાદ થવાની સંભાવના છે. તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખી બીએમસી તરફથી સંભાવિત રૂપે ખતરનાક ઝાડની ડાળીઓ કાપવામાં આવી રહી છે. નિચલા વિસ્તારોમાં ડી વૉટરિંગ પંપ લગાવવામાં આવી રહ્યા છે. કોરોના કેન્દ્રો પર 384 ખતરનાક ઝાડને પહેલેથી જ કાપી મૂકવામાં આવ્યા છે.

ભારે તબાહી મચાવી શકે
જણાવી દઈએ કે અરબી સમુદ્રથી ઉઠેલા ચક્રવાતી તોફાનને લઈ કેટલાક રાજ્યોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કર્ણાટક અને કેરળમા સાઈક્લોનને પગલે તેજ વરસાદ થયો છે.
જ્યારે તટીય વિસ્તારોમાં મકાન, ઝાડ અને સાર્વજનિક સંપત્તિઓને પણ ભારે નુકસાનના સમાચાર છે. હવે ચક્રવાત તૌકતે ગોવાના તટીય ક્ષેત્ર સાથે પણ ટકરાયું છે. એવામાં પ્રભાવિત થનાર રાજ્યોને અલર્ટ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
