સાયરસ મિસ્ત્રીના આજે મુંબઈમાં કરવામાં આવશે અંતિમ સંસ્કાર, જાણો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ શું કહે છે?
ટાટા એન્ડ સન્સના ભૂતપૂર્વ ચેરમેન 54 વર્ષીય સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર મંગળવારે એટલે કે આજે સવારે વર્લીના સ્મશાનગૃહમાં થશે.
મુંબઈઃ ટાટા એન્ડ સન્સના ભૂતપૂર્વ ચેરમેન 54 વર્ષીય સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર મંગળવારે એટલે કે આજે સવારે વર્લીના સ્મશાનગૃહમાં થશે. સાયરસ મિસ્ત્રીનુ રવિવારે કાર અકસ્માતમાં મૃત્યુ થયુ હતુ. સાયરસ મિસ્ત્રીના મૃત્યુથી જીવનના તમામ ક્ષેત્રના લોકોને આઘાત લાગ્યો હતો. જેમાં રાજકારણીઓથી લઈને ઉદ્યોગપતિઓ સુધી દરેક દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાયરસ મિસ્ત્રીના મોટાભાગના પરિવારના સભ્યો વિદેશમાં રહે છે અને સોમવારે રાત સુધીમાં મુંબઈ પહોંચી ગયા હતા. 54 વર્ષીય સાયરસ મિસ્ત્રીના પોસ્ટમોર્ટમમાં મૃત્યુનુ કારણ પોલિટ્રોમા, મહત્વપૂર્ણ અવયવોમાં ગંભીર ઈજાઓ હોવાનું બહાર આવ્યુ છે.

સાયરસ મિસ્ત્રી ત્રણ પારિવારિક મિત્રો ડેરિયસ અને જહાંગીર પંડોલે અને ડેરિયસની પત્ની અનાહિતા પંડોલે સાથે ગુજરાતના ઉદવાડાથી મુંબઈ પરત ફરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર સૂર્યા નદીના ચરોટી પુલ પર કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીની સાથે મર્સિડીઝની પાછળની સીટ પર બેઠેલા 49 વર્ષીય જહાંગીરનું પણ મોત થયુ હતુ. પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ અનાહિતા ડ્રાઇવિંગ કરી રહી હતી અને તેનો પતિ ડેરિયસ તેની બાજુમાં આગળની સીટ પર બેઠો હતો. બંનેની સારવાર ચાલી રહી છે. સાક્ષીઓએ જણાવ્યુ હતુ કે અકસ્માતની 10 મિનિટમાં મદદ પહોંચી હતી.
પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં શું છે?
જેજે હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશને સોમવારે બપોરે 2.27 વાગ્યે પોસ્ટમોર્ટમ પૂર્ણ કર્યુ અને કાસા પોલીસ સ્ટેશન કે જ્યાં અકસ્માત થયો હતો તે સ્થાનિક પોલીસ સ્ટેશનને રિપોર્ટ મોકલ્યો. હૉસ્પિટલના એક સૂત્રએ જણાવ્યુ કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પરથી તમે અનુમાન લગાવી શકો છો કે કાર સ્પીડમાં હતી. સાયરસ મિસ્ત્રીના પોસ્ટમોર્ટમમાં મૃત્યુનુ કારણ પોલીટ્રોમા અને શરીરની બહુવિધ ઇજાઓ હોવાનુ કહેવાય છે. પોલીટ્રોમા એ એવી સ્થિતિ છે જેમાં માથાની અંદરના પેશીઓની અંદર ગંઠાઈ ગયેલા લોહીનો નક્કર સોજો હોય છે. જેને તબીબી રીતે ઇન્ટ્રાક્રેનિયલ હેમેટોમા તરીકે ઓળખવામાં આવે છે. તે મોઢા, છાતી અથવા પેટમાં ઇજાને કારણે પણ હોઈ શકે છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
