ફાયરબ્રાન્ડ નેતા ચંદ્રશેખર આઝાદને 16 મહિના સુધી જેલમાં કર્યા હતા કેદ, જાણો કેવી રીતે બનાવી 'ભીમ આર્મી'
ભીમ આર્મીના વડા અને દલિત નેતા ચંદ્રશેખર આઝાદ પર બુધવારે યુપીના સહારનપુરમાં બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર કરીને જીવલેણ હુમલો કર્યો હતો. અજાણ્યા હુમલાખોરો દ્વારા ચલાવવામાં આવેલી ગોળીઓ ચંદ્રશેખરની પીઠમાં વાગી હતી. આ હુમલો ત્યારે થયો જ્યારે તે પોતાની ફોર્ચ્યુનર કારમાં સવાર હતા.
કારમાં સવાર હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો. ચંદ્રશેખરને પીઠમાં ગોળી વાગ્યા બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ચંદ્રશેખર પર હુમલા બાદ યુપીનું રાજકારણ ગરમાયું છે.

ચંદ્રશેખર પરના હુમલાને લઈને વિપક્ષ કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યું છે. ચંદ્રશેખર પર હુમલા બાદ ભારે હોબાળો મચી ગયો છે. આવો જાણીએ તેમણે રાજકારણમાં આટલા ઓછા સમયમાં આ સ્થાન કેવી રીતે પ્રાપ્ત કર્યું?
ભીમ આર્મીના વડા ચંદ્રશેખર દલિત યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. ફાયરબ્રાન્ડ ચંદ્રશેખર આઝાદને રાવણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગળામાં વાદળી ખેસ બાંધીને સરકાર સામે કડક વલણ ધરાવતા ચંદ્રશેખર આઝાદ એક એવા દલિત નેતા છે જેમણે માયાવતી પછી સૌથી મોટા બહુજન નેતા તરીકે ઓળખ મેળવીને રાજકારણમાં પોતાની જાતને સ્થાપિત કરી છે.
ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના આ પુત્ર ચંદ્રશેખર આઝાદના દલિત સમાજમાં વધતા વર્ચસ્વને કારણે બસપા સુપ્રીમો માયાવતી પણ પોતાની પાર્ટી માટે આંતરિક ખતરો અનુભવે છે. ડિસેમ્બર 1986માં સહારનપુર જિલ્લાના ચુતમલપુર શહેરમાં ગોવર્ધન દાસ અને કમલેશ દેવીના ઘરે જન્મેલા ચંદ્રશેખર પોતાને દલિત નેતા માને છે. તેમના પિતા નિવૃત આચાર્ય હતા.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વિરોધી અને કડવા ટીકાકાર ચંદ્રશેખર આઝાદે તેમના ક્રાંતિકારી અને બળવાખોર વલણને કારણે ઘણા મહિનાઓ જેલમાં વિતાવ્યા છે. તેમણે તિહાર જેલની સજા પણ ભોગવી છે.
2017માં ઉત્તર પ્રદેશના સહારનપુરમાં જાતીય હિંસા બાદ, ચંદ્રશેખર વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા(NSA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ તે આંદોલન હતું જેમાં એકનું મોત થયું હતું અને ઘણા ઘાયલ થયા હતા. 15 દિવસ જેલમાં રહ્યા બાદ તે જેલમાંથી મુક્ત થયા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે ચંદશેખરને એમ કહીને મુક્ત કર્યા હતા કે હિંસામાં થયેલી ધરપકડ રાજકીય રીતે પ્રેરિત હતી, પરંતુ યુપી સરકારે તેમને જેલમાં રાખવાનું ચાલુ રાખ્યું હતું.
ત્યારબાદ દિલ્હી પોલીસે દિલ્હીની જામા મસ્જિદમાં જંતર-મંતર પર CAAનો વિરોધ કર્યો, ત્યારબાદ તેમને તિહાર જેલમાં મોકલવામાં આવ્યા. જ્યારે તેમને મુક્ત કરવામાં આવ્યા ત્યારે તેમના હજારો સમર્થકોએ તેમને ફૂલો અને હાર પહેરાવીને આવકાર્યા હતા. આ ઉપરાંત તુગલકાબાદમાં શ્રી ગુરુ રવિદાસ ગુરઘરના ધ્વંસના વિરોધમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાથરસ ગેંગ રેપ કેસના વિરોધમાં ભીમ આર્મીના 500 સભ્યો સાથે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ચંદ્રશેખર આઝાદ અત્યાર સુધીમાં ઘણી વખત દલિતોના અત્યાચાર સામે આંદોલન કરી ચુક્યા છે. ચંદ્રશેખરને યુપીમાં જ નહીં પરંતુ બિહારમાં પણ દલિત અત્યાચારની ખબર મળતા જ તેની ભીમ આર્મી સાથે ત્યાં પહોંચી જાય છે. યુપીમાં હાથરસ ગેંગરેપનો મુદ્દો, જેમાં 19 વર્ષીય યુવતીનુ ગેંગરેપ બાદ મોત થયું હતું, તે ચંદ્રશેખરના આંદોલનને કારણે રાષ્ટ્રીય મુદ્દો બની ગયો હતો.
તેમણે 2014માં સતીશ કુમાર અને વિનય રતન સિંહ સાથે ભીમ આર્મીની સ્થાપના કરી, ચંદ્રશેખરની આર્મી ભારતમાં શિક્ષણ દ્વારા દલિતોની મુક્તિ માટે કામ કરે છે. તે પોતાને રાવણ કહેવાનું પસંદ કરે છે. ભીમ આર્મીના સ્થાપક ચંદ્રશેખર આઝાદ રાવણે બિહાર વિધાનસભા ચૂંટણી 2020 લડવા માટે અન્ય પ્રાદેશિક રાજકીય પક્ષો સાથે જોડાણ કર્યું હતું. અગાઉ 2019 લોકસભા ચૂંટણીમાં, તેમણે વારાણસીથી પીએમ મોદી સામે લડવાની યોજના બનાવી હતી, પરંતુ સપા અને બસપાના ગઠબંધનને સમર્થન આપવાને કારણે તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
2017માં, ચંદ્રશેખર પ્રથમ વખત ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે દલિતોના ઉત્થાન માટે તેમની ભીમ આર્મીની સ્થાપના કરી. ચંદ્રશેખરે દલિત છોકરીઓના લગ્ન અને દલિત યુવાનોના અભ્યાસ માટે ભંડોળ એકત્ર કર્યું. તે એક મોટું નામ બની ગયા હતા. તેમણે દલિતોના ઉત્થાન માટે પોતાની સેના તૈનાત કરી. દલિત છોકરીઓના લગ્નથી લઈને તેમના શિક્ષણ સુધી તેમણે ફંડ એકઠું કરવાનું શરૂ કર્યું. તેમણે બોર્ડ લગાવ્યું, 'ધ ગ્રેટ ચમાર'.
આંબેડકરના વિચારોમાં માનનારા ચંદ્રશેખરે ત્યારે કહ્યું હતું કે તમારે તમારી જાતિ પર એટલું ગર્વ હોવો જોઈએ કે લોકો તમારી ઓળખ સ્વીકારે અને તમારા પર ગર્વ કરે. આ સાથે ચંદ્રશેખરનું માનવું છે કે તમે ખુદને ઉંચા માનો અને અન્યાય સામે લડો.
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ







Click it and Unblock the Notifications
